મહત્વનું છે કે કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમારે વિધાનસભા અધ્યક્ષ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારે હવે વિપક્ષ નેતા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપનેતા સહિતનું પ્રતિનિધિમંડળ વિધાનસભા અધ્યક્ષને મળશે.
અલ્પેશ ઠાકોર અંગે રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
આ અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે અલ્પેશ ઠાકોર અંગેના કાગળ આજે મારી સમક્ષ મુકવામાં આવ્યા છે. હવે આગળની કાર્યવાહી કરવામા આવશે. અલ્પેશ અને કોંગ્રેસ પક્ષને રૂબરૂ સાંભળવામા આવશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે રાજીનામા પત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, કોંગ્રેસે ઠાકોરસેનાની અવગણના કરી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ થાય તે માટે રજૂઆત કરી રહી છે.
જોકે અલ્પેશ સાથેના બે ધારાસભ્યો સામે કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર સામે ફરિયાદ ન હોવાથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.