સુરતના નવસારી બજારમાં આવેલ મંદિરના પૂજારી પર ત્રણ બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્વનું કૃત્ય કર્યાનો આરોપ થતાં પોલીસે ધરપકડ કરી છે. પૂજારી શ્રી શિવાલય પાંડે મહારાજની ધરપકડ કરાઇ છે.
ભોગ બનેલા ત્રણેય બાળકોના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ રિપોર્ટ કરાવાયા છે. તેમજ પૂજારીને મેડિકલ તપાસ માટે લઇ જવાયા છે.
નવસારી બજારના ગોપી તળાવ સામે આવેલા મંદિરમાં શિવાલય પાંડે છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપે છે. પૂજારી બાળકોને ચોકલેટ પતંગ આપવાના બહાને બોલાવતો હતો. પૂજારી સામે પોસ્કો અને 377ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.