કચ્છ: પાટણમાં દલિત આગેવાનના આત્મવિલોપનનો મામલો સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે એના પડઘા કચ્છના ગાંધીધામમાં પણ જોવા મળ્યા છે.
કચ્છના ગાંધીધામમાં પણ દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીધામના લોકો દ્વારા ચક્કજામ કરીને વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીધામમાં લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરીને રસ્તા પર ચક્કજામ કર્યો છે. ત્યારે હવે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારના રોજ પણ દલીત આગેવાનો દ્વારા અમદાવાદમાં ચક્કાજામ કર્યો હતો.
નોંધનીય છે કે ગઇકાલે પાટણના એક દલિત અગ્રણીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેમને સારવારઅર્થે અપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા જ્યાં ગત મોડી રાતે તેમનું સારવાર દરમ્યાન અવસાન થતાં પરિવાર સહિત દલિત સમાજમાં ચકરાર મચી જવા પામી હતી.