રાજકોટના કુવાડવા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3ના મોત થયાં હતાં અને 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતાં.
બામણબોર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના બનતા આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઇકાલ 2017નો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં નવાવર્ષને વધાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી ત્યારે ચોટીલા-રાજકોટ હાઇવે ગોઝારો બન્યો હતો. ટ્રક અને કારનો અકસ્માત થતાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.