દ્વારકાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. ત્યારે ફરીવાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પંજો જમાવવા રાહુલ ગાંધી દ્વારકાથી પ્રવાસ શરૂ કરશે. આગામી 25 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની 3 દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
વળત્રામાં સરપંચો સાથે રાહુલ ગાંધી મંથન કરશે. અને જામનગરમાં રોડશો યોજાશે. 26 સપ્ટેમ્બરે રાજકોટમાં રોડશોનું આયોજન કરાયું છે. પાટીદારોને રીઝવવા કાગવડ ખોડલધામના દર્શન કરશે. ટંકારા રાજકોટ અને જસદણમાં લોકો સાથે સંવાદ કરશે. અને ચોટીલામાં રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે.
રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે. 27 સપ્ટેમ્બરે કાગવડમાં પ્રવાસ પૂર્ણ કરશે. પ્રવાસને લઇને કહી શકાય કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સીટો વધુ મેળવવા અત્યારની જ પ્રવાસનો દૌર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા કમરકસી દીધી છે.