અમદાવાદઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટેના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ આજે થશે. પીએમ મોદી અને જાપાનના પીએમ શિંઝો આબે આજે સાબરમતી રેલ્વે સ્ટેશન પાસેના એથલેટિક સ્ટેડિયમ પાસે તેના માટે વિધિવત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રેલ મંત્રી પિયુષ ગોયલ અને રેલ રાજય મંત્રી મનોજ સિન્હા તેમજ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા. અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો આ પ્રોજેક્ટ 1 લાખ 8 હજાર કરોડનો છે. અને આ યોજના ડિસેમ્બર 2023 સુધીમાં પુર્ણ થશે.
લાઇવ અપડેટ્સ-
- પીએમ મોદીએ ગુજરાતી ભાષામાં પોતાના નિવેદનની શરૂઆત કરી હતી તેમણે નજીકના મિત્ર શિંઝો આબેને ધન્યવાદ આપ્યા. એક સાચો મિત્ર સમય અને સીમાના બંધનોથી દૂર રહે છે. આજે જાપાને સાબિત કર્યું કે તે ભારતનો સાચો મિત્ર છે. ભારતના હાઇસ્પિડ રેલવે પ્રોજેક્ટમાં જાપાનની મહત્વની ભાગીદારી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંપૂર્ણ શ્રેય શિંઝો આબેને જાય છે. શિંઝો આબેએ વ્યક્તિગત ધ્યાન રાખી પ્રોજેક્ટમાં વિઘ્ન ન આવે તેનું ધ્યાન રાખ્યું.
- દેશના વિકાસમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી દેશમાં કનેક્ટિવિટી વધે છે. જાપાનમાં સૌ પ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ થઇ ત્યારબાદ વિશ્વમાં બુલેટ ટ્રેનની શરૂઆત થઇ. ટેકનોલોજી ઝડપથી બદલાઇ રહી છે. છેલ્લા 25 વર્ષમાં ટેકનોલોજી ઝડપથી બદલાઇ છે.
- આર્થિક પ્રગતિ માટે ગ્રોથ વધવો જરૂરી છે. જાપાને ભારતને 50 વર્ષના સમયગાળા માટે લોન આપી છે. 88 હજાર કરોડના રૂપિયા માત્ર 0.1 ટકાના વ્યાજદરે લોન આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ રકમ ખર્ચ થશે.
- શિંઝો આબે બોલ્યા કે ભારત અને જાપાની દોસ્તી માત્ર દ્વિપક્ષીય નથી. આ વિશ્વ વ્યવસ્થાની છે. જાપાન પુરી રીતે મેક ઇન ઇન્ડિયાનું સમર્થન કરે છે. આબેએ કહ્યું કે હું અને પીએમ મોદી જય ઇન્ડિયા જય જાપાનનું સપનું સાકાર કરીશું. તેમણે કહ્યું કે આગામી સમયમાં જ્યારે ભારત આવીશ ત્યારે બુલેટ ટ્રેનમાં બેસીશ.
જાપાની પીએમ બોલ્યા કે જાપાનમાં બુલેટ ટ્રેનથી કોઇ દુર્ઘટના નથી થતી. એક દિવસ આખા ભારતમાં બુલેટ ટ્રેન દોડશે. જાપાનની બુલેટ ટ્રેન આખી દુનિયામાં સૌથી સુરક્ષિત બુલેટ ટ્રેન સેવા છે.
- શિંઝો આબેએ કહ્યું કે પીએમ મોદી એક દુરદર્શી નેતા છે મે પોતે આ પ્રોજેક્ટમાં રસ ધરાવ્યો છે. જાપાનથી 100થી વધારે એન્જિનિયર ભારતમાં આવેલા છે મોદીની નીતિઓનું પુરૂ સમર્થન કરૂ છું.
- જાપાની પીએમ શિંઝો આબેએ નમસ્કારથી પોતાના ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ભારતનું બળવાન થવું જાપાનના હિતમાં છે. ભારતમાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે.
- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે મોદીજી નવું નવું વિચારે છે. તેઓ આ પ્રોજેક્ટ લાવ્યા. ગુજરાત માટે સોનાનો દિવસ છે.
- મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીએમ મોદીએ જે નવા ભારતના સંકલ્પના રાખી છે આ પ્રોજેક્ટ તેમની જ શરૂઆત છે.
- રેલમંત્રી પીયૂષ ગોયલે નિવેદન આપ્યું હતું કે પહેલા મહાત્મા ગાંધીને ટ્રેનથી બહાર કઢાયા હતા આજે અમે ગાંધીની ધરતી પર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ. આ પ્રોજેક્ટ માટે જાપાન તરફથી 0 ટકાના વ્યાજથી પૈસાની મદદ કરી.
પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે દ્વારા આજે સાબરમતી રેલ્વે સ્ટેશનની પાસે એથ્લેટિક સ્ટેડિયમમાં મહત્વાકાંક્ષી 1.08 લાખ કરોડ રૂપિયાનો અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ્વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત.
મુંબઇથી અમદાવાદ વચ્ચે ચાલનારી આ દેશની પહેલી બુલેટ ટ્રેન 508 કિલોમીટરનું અંતર 3 કલાકમાં પૂરૂ કરશે. જેને લઇ મુંબઇ-અમદાવાદ વચ્ચેની યાત્રાનું અંતર સાત કલાકથી ઘટીને ત્રણ કલાક થઇ જશે.