મુલાયમ સિંહ યાદવે પ્રેસકોફ્રેંસ કરીને અલગ પાર્ટી બનાવવાની ખબરને અફવા ગણાવતા કહ્યું છે કે તેઓ કોઇ નવી પાર્ટી નથી બનાવી રહ્યા. આ પ્રેસ કોફ્રેંસમાં અનેક નેતાઓ ઉપસ્થિત હતા. પરંતુ શિવપાલ દેખાયા ન હતા. મીડિયાએ જ્યારે અખિલેશ યાદવ અંગે સવાલ કર્યો. ત્યારે મુલાયમ સિંહે કહ્યું કે તે મારો દિકરો છે.
આથી મારો આશિર્વાદ હંમેશા તેની સાથે છે. પરંતુ તેના નિર્ણયોમાં હું તેની સાથે નથી. જ્યારે મુલાયમને પૂછવામાં આવ્યું કે અખિલેશના ક્યા નિર્ણયોની તેઓ વિરૂદ્ધ છે. તો મુલાયમ સિંહે સમય આવતા જણાવવા કહ્યું હતું.