વડોદરાઃ દલીત એકતા મંચના નેજા હેઠળથી ધારાસભ્ય બનેલા જીગ્નેશ મેવાણીએ ફરી એક વખત સરકાર સામે બાયો ચઢાવી છે. વડોદરા સંકલ્પ ભુમીમાં પહોંચેલા જીગ્નેશ મેવાણીએ જમીન ફાળવણી મુદ્દે રોષ વ્યકત કરતા કહ્યું કે સરકાર આ દિશામાં હવે હકારાત્મ પગલા ભરે.
જો દલિતોને અન્યાય થશે તો તેઓ આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલનો ચલાવશે. જીગ્નેશે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આગામી 14 એપ્રીલના રોજ સરકારના કોઈ પણ નેતાને આંબેડકર સાહેબની પ્રતીમાને ફૂલ હાર નહી ચઢાવવા દે. 14 તારીખે જ સામખીયાળી હાઈવે ચક્કા જામ કરી આંદોલનની શરૂઆત કરશે.