ગાંધીનગરઃ આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાવાની છે. સવારે 10 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક યોજાશે. જેમાં તમામ જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. તો ચૂંટણીમાં ગુમાવાયેલી બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો મંત્રી પુરસોત્તમ સોલંકીના વલણ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બીજી કેબિનેટની બેઠક મળી રહી હતી. બેઠકમાં કેબિનેટના મંત્રીઓ હાજર રહ્યા હતા. નારાજ થયેલા મંત્રીઓ અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર મંથન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભારત-ઈઝરાયેલ PMના સંભવિત કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરાઇ. આ બેઠકમાં આગામી આયોજનો નીતિ વિષયક બાબતો તેમજ મગફળીની ખરીદી અને સિંચાઈને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.