ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ અબ્બાસીના નિવેદન પર ભારતે પલટવાર કર્યો છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન આતંકીઓનું ગઢ છે. અને દુનિયાને માનવાધિકાર પર પાકિસ્તાનને જ્ઞાન આપવાની જરૂર નથી. પાકિસ્તાન પોતાની જ જમીન પર માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતે એ પણ કહ્યું છે કે પાકિસ્તાનને સમજી લેવું જોઇએ કે જમ્મૂ કશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
UNમાં ભારતના પ્રથમ સચિવ ઇનમ ગંભીરે પાકિસ્તાનને ટેરરિસ્તાન કરાર આપતા કહ્યું છે કે પાકિસ્તાન સતત આતંકીઓને સહારો આપી રહ્યું છે. આ દેશ સંપૂર્ણ રીતે આતંકને જન્મ આપી રહ્યું છે. જે અસાધારણ છે કે એક સ્ટેટ જે ઓસામા બિન લાદેન અને મુલ્લા ઉમરને સહારો આપે છે. અને પીડિત હોવાનો દેખાવો કરે છે. ગંભીરે કહ્યું કે પાકિસ્તાન હવે ટેરરિસ્તાન બની ગયું છે. અને ભારતનો પાડોશી દેશ આતંકને જન્મ આપી રહ્યું છે. અને વૈશ્વિક સ્તર પર તેનો ફેલાવો પણ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના PM શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે ભારત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. તો સાથે જ ભારત પર કશ્મીરીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં કશ્મીરને લઇને એક દૂતની નિમણૂક કરવાની વાત પણ ઉચ્ચારી છે.
સાથે જ તેમણે કશ્મીર સહિત તમામ મુદ્દે ભારત સાથે વાત કરવાની તૈયારી બતાવી છે. 20 મિનિટના ભાષણમાં શાહીદ અબ્બાસીએ ચાર વખત કાશ્મીર રાગ આલાપ્યો હતો. જે નિવેદનને લઇ ભારતે પાક. પર પલટવાર કર્યો હતો.