ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની એન્ટ્રી પર લાગેલા ચીનની અવળચંડાઇને હટાવવા માટે રશિયા આગળ છે. રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઇ રયાકોકોવે માન્યું છે કે ગ્રુપમાં એન્ટ્રી માટે ભારત અને પાકિસ્તાને જે અરજીઓ આપી છે એમાં કોઇ સમાનતા નથી અને બંનેને એક સાથે જોઇ શકાશે નહીં અને બંને પર એકસાથે નિર્ણય પણ લઇ શકાય નહીં.
જણાવી દઇએ કે 48 સભ્યો વાળા NSGમાં ભારતની એન્ટ્રી પર માત્ર ચીન રુકાવટ કરી રહ્યું છે તો પાકિસ્તાનના કેસમાં ઘણા સભ્ય એકમત થઇ શક્યા નથી. આ વાતનો ઉલ્લેખ રશિયાના ઉપ વિદેશમંત્રીએ પણ કર્યો છે. જણાવી દઇએ કે આ વર્ષવી શરૂઆતમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ રશિયા સાથે વાત કરી હતી અને ચીનને સમજાવવા માટે કહ્યું હતું.
રશિયાને ચીન પર ભરોસો નથી કે એ એની વાત માની લેશે. એટલે રયાકોકોવે કહ્યું કે બાકી દેશોને પણ ભારત ને સભ્યતા અપાવવા માટે પ્રયત્ન કરવાની જરૂરીયાત છે.
ભારત માટે NSGની સભ્યતા ખૂબ જ જરૂરી છે કારણ કે એનાથી ન્યૂક્લિયર ટેક્નોલોજી અને યૂરેનિયમ વગર કોઇ ખાસ કરારથી મેળવી શકશે. એનાથી સાઉથ એશિયામાં ભારત ચીનની સરખામણી પર આવી જશે.