નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. 2004થી 2014 માટે નેતૃત્વ કરવા અને વૈશ્વિક સ્તર પર ભારતને આગળ લાવવા માટે આ વર્ષે ઇન્દિરા ગાંધી શાંતિ નિરસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર આપવામાં આવશે.
સિંહને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અધ્યક્ષતાવાળી એક આંતરરાષ્ટ્રીય જ્યૂરી દ્વારા પુરસ્કાર માટે સર્વસમ્મતિથી તેમનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની યાદમાં આપવામાં આવે છે.