નવી દિલ્હી: એસી રેસ્ટોરાંમાં ખાવાનું ખાનારા લોકોને હવે વધારે ટેક્સ આપવો પડશે નહીં. આ સાથે જ નાના વેપારીઓને જલ્દી જ ટેક્સમાં રાહત મળવાની છે. રાજ્યોના નાણામંત્રીની એક પેનેલે GST કાઉન્સિલને ભલામણ કરી છે કે રેસ્ટોરાંના ભાવોને ઓછા કરવામાં આવે.
મળતી માહિતી અનુસાર પાંચ રાજ્યોના નાણામંત્રીઓની પેનલે ભલામણ કરી છે કે દરેક પ્રકારની રેસ્ટોરાંમાં એક સરખા જીએસટી લગાડવામાં આવે અને એને 12 ટકાના સ્લેબ પર ફિક્સ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના રાજ્ય એસી રેસ્ટોરાં પર જીએસટી 18 ટકા ઘટાડીને 12 ટકા કરવાના પક્ષમાં છે.
નવેમ્બર બાદ એસી રરેસ્ટોરાં માલિકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પણ મળશે નહીં. એનું નામ લઇને રેસ્ટોરાં માલિક ગ્રાહકોના ખિસ્સા ખાલી કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યોના નાણામંત્રીઓની એક પેનલ બનાવી છે જે રેસ્ટોરાંમાં જીએસટી દરોના સ્લેબને ઓછો કરી શકે છે. જો કોઇ વ્યક્તિ હોટલમાં ખાવાનું ખાવા જાય છે તો એને રેસ્ટોરાંના હિસાબથી 12 થી લઇને 28 ટકા સુધી જીએસટી આપવો પડે છે. એમાં 28 ટકા જીએસટી 5 સ્ટાર હોટલની રેસ્ટોરાં પર લાગે છે.
જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયા સુધીનું છે એમને માત્ર 1 ટકા ટેક્સ આપવાની ભલામણ પણ પેનલે કરી છે. આ ઉપરાંત એવા કારોબારીઓને રિટર્ન પણ દર 3 મહિના બાદ ભરવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાના વેપારીઓને જીએસટી લાગુ થયા બાદ ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આવા વેપારીઓ માટે કમ્પોઝિશન સ્કીમ 1.5 કરોડ રૂપિયા છે. તો બીજી બાજુ આવા વેપારીઓ પોતાનો તૈયાર માલને બીજા રાજ્યોમાં વેચે છે તો આવા પ્રકારની છૂટનો લાભ મળતો નથી.