ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 89 બેઠકો માટેનું પ્રથમ તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયું હતુ. આ દરમિયાન ભાવનગરમાં પણ મતદાન થયું હતુત્યારે ભાજપના 2 ઉમેદવારો પર આચારસંહિતાનો ભંગ કર્યા હોવાનો ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપના આ ઉમેદવારોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કેશુ નાકરાણીનું નામ શામેલ છે.
જીતુ વાઘાણી અને કેશુ નાકરાણી સામે આચારસંહિતાનો ભંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કેજીતુ વાઘાણી ભાજપના ભાવનગરથી ઉમેદવાર છેજ્યારે કેશુ નાકરાણી ભાજપના ગરિયાધારથી ઉમેદવાર છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જ્યારે મતદાન કરવા ગયા હતા ત્યારે પોતાના બોડીગાર્ડને મતદાન મથકમાં પ્રવેશ કરતા આંચરસંહિતાની ફરિયાદ નોંધવામાં આવી છેજ્યારે કેશુ નાકરાણીએ ભાજપનો પ્રચાર કરતી ગાડીની સાથે મતદાન કરવા માટે પહોંચતા તેમના વિરુદ્ઘ પણ આંતરસંહિતા ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે RO દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.