ભરૂચમાં બાળકોને લઈ જતી સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની છે. સ્કૂલવાનમાં જ્ઞાનસરિતા સ્કૂલના બાળકો સવાર હતા. પ્રાથમિક તારણ અનુસાર સ્કૂલવાન ઓવરલોડેડ હોવાથી પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં 5 થી 6 બાળકોને ઈજા પહોંચી છે. હાલ તો ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.