મોરબીઃ ગાંધીધામથી રાજસ્થાન તરફ જાનમાં જતી કારના અકસ્માતની ઘટના સામે આવી છે. હળવદના સુસવાવ પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભી રહેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે કાર જાનમાં જઇ રહી હતી ત્યારે રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇ ઘટના સ્થળે 3 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતાં. કાર એટલી જોરથી અથડાઇ હતી કે કારનો કુચડો વળી ગયો હતો.