ઘણા અંદાજો બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરનાર છે. તાજેતરમાં જ કોહલીએ ક્રિકેટમાંથી લાંબો વિરામ લીધો હતો. પરંતુ હવે સૂત્રોથી જાણવા મળ્યું છે કે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બંને ભવ્ય રીતે લગ્ન કરશે.
જાણવા મળી રહ્યું છે કે એમાં બોલીવુડ ક્રિકેટ અને રાજકીય ઘણી હસ્તીઓ સામેલ થશે . જો કરે આ લગ્ન ભારતમાં થશે નહીં.
ઇટલીમાં કરશે લગ્ન. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઇટલીમાં મિલાનમાં લગ્ન કરશે.
9 10 11 ડિસેમ્બરે લગ્નની રસ્મો નિભાવવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી અનુષ્કા શર્માના પરિવારના સભ્યોની ઇટલી ટિકીટ બુક થઇ ગઇ છે. ખૂબ જ નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ક્રિકેટર વિરાટ કોહલીએ ડિસેમ્બરમાં થનારી શ્રીલંકા ટૂરથી રજા લેવાની અરજી આપી હતી. ત્યારે જ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે એ અનુષ્કા સાથે સગાઇ કરવાનો છે.