ભારત અને ચીનની વચ્ચે લગભગ અઢી મહિના ચાલેલા ડોકલામ વિવાદની વચ્ચે 9મો બ્રિક્સ શિખર સંમેલન ચીનની શિયામેન શહેરમાં આજે શરૂ થયો રહ્યો છે. આ શિખલ સંમેલનમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી મોદી આજે ચીન પહોંચી ગયા છે. ચીન આ સંમેલનમાં પોતાને 21મી સદીના વૈશ્વિક પરિદ્રશ્યથી સૌથી મજબૂત સ્તંભના રૂપમાં રજૂ કરવાની તૈયારીમાં છે જો કે શક્ય છે કે સંમેલન દરમિયાન જ્યાપે પીએમ મોજી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે તો ડોકલામથી જોડાયેલા કોઇ પહેલૂ પર વાત ના કરે અને બંને દેશો વચ્ચે આપસી વાતચીતથી સંબંધ બનાવવાનો પ્રયત્ન કરે.
જો કે વિશ્લેષકોનું માનવું છે કે પીએમ મોદીની ચીન સહિત અન્ય બ્રિક્સ સભ્ય દેશોને રાષ્ટ્રધ્યક્ષો સાથે થતી મુલાકાતોમાં ડોકલામનો મુદ્દો ભારે રહેશે. સંમેલનમાં આતંકવાદ વિરોધ પર થનારી વાતચીતને લઇને ચીનની કૂટનીતિજ્ઞોની મોદી પર ખાસ નજર છે. એ જોવા માંગે છે કે પીએમ મોદી બ્રિક્સમાં પોતાના સંવાદમાં આ મુદ્દાને કેવી રીતે ડીલ કરશે. ચીનને ડર છે કે મોદી પાકિસ્તાનનું નામ લઇ શકે છે. ચીનની વિદેશ મંત્રાલયે પહેલા જ સંકેત આપ્યા છે કે જો આવું કંઇ થયું તો એ આપત્તિ દાખલ કરશે.
પેઇચિંગ સ્થિત એક વિશ્લેષકોએ કહ્યું કે ભારત તરફથી કોઇ સંકેત મળવો મહત્વપૂર્ણ છે કારણ કે ડોકલામ પર 10 સપ્તાહ સુધી ચાલેલા વિવાદથી ચીનની છાપને થોડુંક નુકસાન થયું છે. ચીન ઇચ્છતું નથી કે ભારત આ મુદ્દાને એવા સમય પર ઊઠાવે જ્યારે CPECને લઇને પાકિસ્તાનના વ્યાવસાયિક સમુદાયે નારજગી વ્યક્ત કરી છે.
ચીનની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જિનપિંગ સમયાનુસાર BRICS દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પરંતુ એ મોદી સાથે અલગ મુલાકાત કરી શકે છે.