પ્રેસ કોન્ફરન્સમાં મમતાએ કહ્યું- કેન્દ્રીય દળોએ અમારી વિરુદ્ધ કામ કર્યું, કટોકટી જેવી હાલત બનાવવામાં આવી. હિંદુ-મુસ્લિમ વિભાજન કરવામાં આવ્યું અને મતની વહેંચણી કરાઇ. અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી પરંતુ કાઇ થયું નહીં. મેં બેઠકની શરૂઆતમાં જ જણાવેલ કે હું મુખ્યમંત્રી બની રહેવા માગું છું.
West Bengal CM Mamata Banerjee: The central forces worked against us. An emergency situation was created. Hindu-Muslim division was done and votes were divided. We complained to the EC but nothing was looked into. pic.twitter.com/FSksMoXsBq
— ANI (@ANI) May 25, 2019
ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ શનિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે, પશ્વિમ બંગાળમાં ટીએમસીની હાર બાદ હું સીએમ રહેવા નથી માગતી. મેં સીએમ પદેથી રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો છે. હું ધ્રુવીકરણમાં વિશ્વાસ નથી કરતી. મને મારી ખુરશીની પરવાહ નથી.
આપને જણાવી દઇએ કે, ભાજપે બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી 18 સીટો પર જીત મેળવી છે, તેનો વોટ શેર 2014ના 17 ટકાના મુકાબલે આ વખતે વધીને 40.5 ટકા થઈ ગયો હતો. જે સીટો પર ટીએમસી જીતી, ત્યાં પણ બીજા નંબરે ભાજપ રહી હતી, જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી.