પ્રધાનમંત્રી મોદી ભાજપની જીત બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ગુજરાત આવેલા મોદી અને અમિત શાહે ખાનપુરમાં સભા સંબોધી હતી. ત્યારે અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કરતા સૂચક નિવેદન આપ્યું હતું. રાજ્યમાં સરકારમાં ફેરફાર અંગે અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકાર રહેશે. જ્યારે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે.
નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યોઃ શાહ
ભાજપે એકલા હાથે 303 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. તેથી ભાજપના કાર્યકર્તાઓ, ગુજરાતની જનતાનો આભાર માનું છું. સંબોધનમાં મમતાબેનર્જી પર નિશાન તાકતા કહ્યું કે, 26 બેઠકોનો પડઘો બંગાળ સુધી પડવો જઇએ. ગુજરાતનો અવાજ બંગાળમાં ગુંજવો જોઇએ. હું એક સાંસદ તરીકે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છું.
પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ ગુજરાતને સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડલ બનાવ્યું હતું. અને આ રોલ મોડેલને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૪માં સમગ્ર દેશે ભાજપા ને જીત અપાવી હતી. : રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @AmitShah #Modi2Begins
— BJP Gujarat (@BJP4Gujarat) May 26, 2019
વધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ભાજપને ગુજરાતનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.
સુરત દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સુરતમાં ખુબ જ દુઃખદ ઘટના ઘટી છે. આ દુર્ઘટનાનું ખુબ દુઃખ છે. પ્રભુ તમામ બાળકોના આત્માને શાંતી આપે. ભાજપ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવતા તેમની સાથે છે.