બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / A big racket in Punjab, more than 6 people died after drinking poisonous liquor

દુ:ખદ ઘટના / પંજાબમાં મોટો લઠ્ઠાકાંડ, ઝેરી દારુ પીવાથી 4થી વધુ લોકોના મોત

Priyakant

Last Updated: 09:15 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Punjab Latest News: પોલીસે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ ચાર વ્યક્તિઓએ ગામમાં વેચાતી દેશી દારૂ પીધો જે તેમના મૃત્યુનું કારણ બન્યો

Punjab Latest News :  પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સંગરુર જિલ્લાના દિરબા પોલીસ સ્ટેશન હેઠળના ગુર્જરરા ગામમાં બની હતી. તાજેતરમાં હરિયાણામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. રાજ્યના યમુનાનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા હતા જ્યારે પડોશી જિલ્લા અંબાલામાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, અંબાલામાં મૃત્યુ પામેલા બે લોકો ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરો હતા. તેમણે શંકાસ્પદ નકલી દારૂનું સેવન કર્યું હતું, જે અંબાલા જિલ્લામાં ગેરકાયદેસર રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. બંને અંબાલાના એક ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને એક કારખાનામાં કામ કરતા હતા.

વિશેષ પોલીસ મહાનિર્દેશક અર્પિત શુક્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, તપાસ દરમિયાન જે આરોપીઓ જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ ચારેય લોકોએ મંગળવારે રાત્રે ગુજરાન ગામમાં એકસાથે દારૂ પીધો હતો. સવારે વ્યક્તિ ઊંઘમાંથી જાગી ન આવતાં પરિવારજનો આ બાબતે ચિંતિત બન્યા હતા. પરિવારજનોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બેભાન હતો. આ પછી જ્યારે તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા તો ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

વધુ વાંચો: શું લોકસભા ચૂંટણી પહેલા થશે કેજરીવાલની ધરપકડ? આ ઘટનાથી મળ્યો મોટો સંકેત

આ સાથે તેમણે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ ચાર વ્યક્તિઓએ ગામમાં વેચાતી દેશી દારૂ પીધો જે તેમના મૃત્યુનું કારણ બન્યો છે. ડીડબા પોલીસે મૃતકોના મૃતદેહને પોતાના કબજામાં લઈ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ વારસદારોને સોંપવામાં આવશે. મૃતકોની ઓળખ ભોલા સિંહ (50), નિર્મલ સિંહ (42), પ્રીત સિંહ (42) અને જગજીત સિંહ (30) તરીકે થઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ