બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / No connection to Pakistan in Kishan Bharwad murder case Gujarat ATS

ખુલાસો / કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન નથી: ગુજરાત ATSએ એક બાદ એક અનેક ખુલાસા કર્યા

Khyati

Last Updated: 02:24 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે ATSએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યુ કે કમરગની અને શબ્બીર શાહઆલમ મોટી મસ્જિદમાં મળ્યા હતા

  • ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલો
  • કમરગનીએ TFIનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
  • શાહઆલમ મોટી મસ્જિદમાં કમરગની-શબ્બીરની મુલાકાત

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ત્યારે જાણવા મળ્યુ છે કે કમરગનીએ  જે TFI નામનું સંગઠન બનાવ્યુ હતું તેનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવીને રોજનો એક રુપિયો દાનમાં લેવાય છે.  ATSની તપાસમાં TFIના બે એકાઉન્ટ હોવાનું સામે આવ્યુ છે. જો કે આ મામલે કમરગનીની બેવડી નીતિ સામે આવી રહી છે. કમરગનીનું કહેવુ છે કે તેણે કાયદેસર લડવાની સલાહ આપવા માટે તેણે સંગઠન ઉભુ કર્યુ હોવાનું રટણ કરી રહ્યો છે. 

 

શાહઆલમની મોટી મસ્જિદ મુલાકાતનું સ્થળ

TFIના બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે. બેંકના નાણાકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમરગની અને આરોપી શબ્બીરની મુલાકાત અમદાવાદમાં જ થઇ હતી. શાહઆલમની મોટી મસ્જિદમાં બંનેની મુલાકાત થઇ હતી. મહત્વનુ છે કે કિશન હત્યા કેસ મામલે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. વધુ પકડાયેલા 3 આરોપીઓને ગ્રામ્યકોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પાકિસ્તાન કનેક્શન નહી- ATS 

ATSએ સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે દાવત એ ઇસ્લામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે... દાવત એ ઇસ્લામી અને ફંડીગ મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે. તો એટીએસએ ઝડપાયેલા નવા 3 આરોપીઓએ  હત્યા મામલે આરોપીઓને રહેવાનુ જમવાનુ તથા પૈસા અને સંતાવવા માટે જગ્યા પણ શોધી આપી હતી. જેમાં એક પોરબંદરનો હુસૈન ખતરી, મતીન અને અન્ય એક આરોપીનો સમાવેશ થાય છે. તો સમગ્ર મામલે ATSએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે પાકિસ્તાનનું કોઇ કનેક્શન નથી.

કમર ગની યુવાનોનું કરતો બ્રેન વૉશ

દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમર ગની ઉસમાની અંગે તપાસમાં ખુલાસો થયો છે તે યુવાનોનું બ્રેઇન વૉશ કરતો હતો.  જે યુવાનો કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હોય તેઓનું બ્રેઇન વૉશ કરતો હતો. આવા ઘણા યુવાનો મૌલાનાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે.આટલુ ઓછુ હોય તેમ સોશિયલ મીડિયામાં પણ તે યુવાનોને ટાર્ગેટ બનાવતો હતો.  જો કે સોશિયલ મીડિયામાં યુવકોને  કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા તેને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

મૌલાના કમર ગની ગુજરાત 6વાર આવ્યો

મૌલાના કમરગની ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલો હોવાનો ખુલાસો થયો હતો ત્યારે હવે એ પણ સામે આવ્યુ છે કે તે યુવાનોને સંગઠનમાં જોડવા માટે 365 રુપિયાની ફી પણ લેતો હતો. આ માટે તેણે 6 વખત ગુજરાતની મુલાકાત પણ લીધી. તે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં રોકાયો હતો. અનેક યુવકોનું બ્રેઇન વૉશ કર્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ