બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 10:31 AM, 25 June 2023
વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ સીરિઝ અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમમાં શામેલ કરવામાં આવ્યા નથી. વેસ્ટઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ભારતે બે ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ અને પાંચ T20 મેચ રમવાની છે. આ ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરવામાં ના આવે તો કયા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે?
રોહિત શર્મા-
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર થયા પછી રોહિત શર્મા ટીકાકારોના નિશાન પર આવી ગયા છે. રોહિત શર્માએ ટેસ્ટ સીરિઝમાં આગેવાનીની સાથે બેટીંગમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્મા સારું પ્રદર્શન નહીં કરી શકે તો કડકાઈપૂર્વક નિર્ણય લેવા માટે BCCI પર પ્રેશર નાખવામાં આવી શકે છે. રોહિત શર્માની ઉંમર હાલમાં 36 વર્ષ છે અને WTCની ત્રીજી સીઝન સમાપ્ત થશે તે સમયે 38 વર્ષના હશે.
રોહિત શર્મા માટે આ વર્ષ સારું રહ્યું નથી. આ વર્ષે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 120 રનની ઈનિંગ રમી તે સિવાય અન્ય મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. વર્ષ 2022માં ટેસ્ટ કેપ્ટનશીપ સંભાળ્યા પછી ભારતે 10 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ત્રણ મેચમાં શામેલ લઈ શક્યા નથી.
કે. એસ. ભરત-
વિકેટકીપર બેટ્સમેન કે. એસ. ભરત પર ફરી એકવાર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 8,6,23*,17,3 અને 44 રનનો જ સ્કોર કરી શક્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ 28 રન જ કરી શક્યા હતા, જેથી કે. એસ. ભરતે ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે.
નવદીપ સૈની-
નવદીપ સૈની બે વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. 30 વર્ષીય નવદીપે જાન્યુઆરી 2021માં બ્રિસ્બેનના મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી. નવદીપ પાસે ખૂબ જ સારી તક છે. આગળ પણ ટેસ્ટ ટીમમાં રમવું હોય તો આ સીઝનમાં નવદીપ સૈનીએ સારું પ્રદર્શન કરવાનું રહેશે.
જયદેવ ઉનડકટ-
ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશમાં ટેસ્ટ મેચ રમવામાં આવી હતી, તે સમયે જયદેવ ઉનડકટને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જયદેવ ઉનડકટને એક મેચમાં રમવાની તક આપવામાં આવી નથી. વિન્ડીઝ પ્રવાસ દરમિયાન મોહમ્મદ શમીની ગેરહાજરીમાં જયદેવ ઉનડકટને સ્થાન આપવાની સંપૂર્ણ સંભાવના છે.
વિન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), આજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે. એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
ટેસ્ટ મેચ શિડ્યુલ:
વન ડે મેચ શિડ્યુલ:
T20 મેચ શિડ્યુલ:
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh