બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / How important is research and vigilance when the heart stops suddenly? Embrace this advice from renowned doctors
Vishal Khamar
Last Updated: 09:56 PM, 22 October 2023
હૃદયરોગના હુમલાથી મૃત્યુ. આ ઘટના પહેલા નહતી બનતી એવું સહેજપણ નથી પરંતુ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુની જેટલી ચર્ચા થઈ છે એટલી કદાચ બીજા કોઈ મુદ્દાની થઈ નથી. આપની ઉમર 13 વર્ષ છે કે પછી 63 વર્ષ તમે એકદમ હળવા મૂડમાં છો, ગરબા રમી રહ્યા છે, હળવાશની પળો માણી રહ્યા છો અને તમારુ હૃદય અચાનક થંભી જાય છે. નવરાત્રી પહેલા પણ સરકાર તરફથી તૈયારીઓ અને એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી પરંતુ ગરબા રમતા યુવાનોના મૃત્યુના બનાવ તો સામે આવ્યા.
હવે આ મુદ્દે સંશોધન થવું જરૂરી છે એ વાતને ફરી વેગ મળ્યો કારણ કે ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી અને હાલ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હૃદયરોગથી થતા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી. એ વાતનો સ્પષ્ટ નિર્દેશ હતો કે હવે સરકારે આ બાબતે સંશોધન હાથ ધરવું જ જોઈએ. કારણ કે છેલ્લા કેટલાક બનાવ એવા પણ હતા કે જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિને કે તેના પરિવારની કોઈ ગંભીર બીમારીની હિસ્ટ્રી હોય તેવું સહેજપણ નહતું છતા તે વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય. એક દિવસમાં રાજ્યમાં હાર્ટઅટેકથી 12 જયારે 6 મહિનામાં લગભગ 1 હજારથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. હવે સમય બેસી રહેવાનો નથી પરંતુ આવી ઘટના પાછળના કારણોની તપાસ કરવાનો અને જાત સતર્કતા દાખવવાનો છે.
રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ વધ્યા છે. નવરાત્રી દરમિયાન પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ સામે આવ્યા છે. હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામનારા મોટાભાગનાની વય નાની હતી. કેટલાક કિસ્સામાં હાર્ટઅટેક આવ્યો હોય તેને અગાઉથી કોઈ બીમારી પણ ન હતી. રાજ્ય સરકાર પણ હૃદયરોગના હુમલાથી વધતા મૃત્યુના બનાવ અંગે ચિંતિત છે.
હાર્ટઅટેકથી ક્યાં કેટલા મૃત્યુ?
સુરત |
2 |
અમદાવાદ |
1 |
વડોદરા |
1 |
કપડવંજ |
1 |
દેવભૂમિ દ્વારકા |
3 |
રાજકોટ |
2 |
ધોરાજી |
1 |
કઠલાલ |
1 |
આ વાત ચિંતાજનક
રાજ્યમાં નવરાત્રી દરમિયાન જ 18 જેટલા લોકોના હાર્ટઅટેકથી મૃત્યુ થયા છે. નવરાત્રી દરમિયાન જેના મૃત્યુ થયા તેની સરેરાશ વય 13 થી 62 વર્ષ છે. છેલ્લા છ મહિનામાં રાજ્યમાં હૃદયરોગના હુમલાથી 1052 લોકોના મૃત્યુ થયા છે. 108ને મળતા ઈમરજન્સી કાર્ડિયાક ઈમરજન્સીના કોલમાં પણ વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 28% કાર્ડિયાક ઈમરજન્સીના કોલ વધ્યા હતા. એક દિવસના સરેરાશ 173 કાર્ડિયાક ઈમરજન્સીના કોલ આવ્યા છે.
આનંદીબેને શું કહ્યું?
નવરાત્રીમાં યુવાનોના ગરબા ગાતા હાર્ટઅટેકથી મૃત્યુ થયા હતા. નવરાત્રીમાં ગરબા ગાતા જેના મૃત્યુ થયા તેના કારણોની તપાસ થાય તે જરૂરી છે. 13 કે 16 વર્ષની વયે હાર્ટઅટેકથી મૃત્યુ થાય તે બહુ ચિંતાજનક. છેલ્લા એક વર્ષમાં હાર્ટઅટેકથી કેટલાના મૃત્યુ થયા તેનો અભ્યાસ જરૂરી છે. હાર્ટઅટેકથી થતા મૃત્યુમાં મહિલા, પુરૂષ, યુવાનો, બાળકોને અલગ તારવો. હાર્ટઅટેક પાછળ કોરોના જવાબદાર નથી. જો કોરોના જવાબદાર નથી તો ક્યા કારણો છે તેની તપાસ થવી જોઈએ.
આ વલણ બદલવું જ પડશે
નિષ્ણાતો માને છે કે સરેરાશ ભારતીયમાં ચરબીનું પ્રમાણ વધુ છે. ભારતમાં મધુપ્રમેહનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરેરાશ યુરોપીયનમાં ચરબીનું પ્રમાણ 7 થી 8 ટકા છે. સરેરાશ ભારતીયમાં ચરબીનું પ્રમાણ 12 થી 23 ટકા છે. ધૂમ્રપાન, સ્થૂળતા,તણાવ,કસરતનો અભાવ જેવા પરિબળો પણ જવાબદાર. હાયપરટેન્શનનું પ્રમાણ રક્તવાહિનીઓને નુકસાન કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh