બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / The government presented a 13-point action plan to curb the cruelty of stray cattle
Vishal Khamar
Last Updated: 05:26 PM, 6 October 2023
રાજ્યમાં રખડતા પશુઓને લઈ ઘણા નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા તેમજ ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ એકાએક સરકાર દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી અમલમાં મુકી હતી. જેને લઈ મહાનગર પાલિકા તેમજ નગર પાલિકા એક્શન મોડમાં આવી રખડતા ઢોર પકડવાની તજવીજ હાથ ધરી છે. રખડતા પશુના ત્રાસને ડામવા રાજ્ય સરાકેર હાઈકોર્ટ સમક્ષ પોતાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. તેમજ પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારીની સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી હતી.
અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા-સરકાર
શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અશ્વિની સુમારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા એએમસીને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ. તેમજ રખડતા પશુને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મૂકવા નિર્દેશ. પશુને લાવવા-લઈ જવા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા નિર્દેશ. અને કોર્પોરેશનનાં 2 અધિકારીઓની રખડતા પશુ મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે.
તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશેઃ સરકાર
રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં (1) રખડતા પશુ પકડવાની કામગીરી દરરોજ ચાલુ રહેશે. (2) તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે. (3) તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે. (4) ઢોરવાડાઓને સફાઈ અને હાઈજીન પ્રત્યે પૂરતી તકેદારી અપાશે. (5) ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે. (6) જે પશુ માલિકો પાસે પોતાના પશુને સાચવવા પૂરતી સુવિધા નહી હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગર પાલિકા વિનામૂલ્યે આવા પશુનું નિર્વહણ કરશે.
મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેરઃ સરકાર
(7) નગર પાલિકાઓમાં રખડતા પશુના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. (8) વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. (9) મહાનગર પાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા છે. (10) પશુઓને રખડતા મુકનારની સામે ભારતીય દંડ સહિતની જુદી-જુદી કલમો અંતર્ગત કામગીરી કરશે. (11) ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધાશે. (12) વારંવાર પશુને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. (13) રખડતા પશુને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh