બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Investigation started against both women corporators in the case of Gokul Awas scam in Rajkot
Vishal Khamar
Last Updated: 01:02 PM, 12 March 2024
રાજકોટ આવાસ યોજનામાં કૌભાંડને લઈને શહેર ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે. દેવુબેન જાદવ કાયદો અને વ્યવસ્થા સમિતીના ચેરમેન હતા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરના પતિ મનસુખ જાદવના પૈસાની માગણીનો વીડિયો વાયરલ થયો હતો. આવાસ તથા નોકરીમાં ભરતીને લઈને પૈસા માગતો વીડિયો વાયરલ થયા બાદ શહેર ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દેવુબેન જાદવના પતિ પર આવાસમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે. તો સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેટરનો પાલિકામાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.
કોર્પોરેટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં છેલ્લા બે દિવસથી આવાસ કૌભાંડનો મુદ્દો ગુંજી રહ્યો છે. ત્યારે આવાસ કૌભાંડના આક્ષેપ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ દ્વારા કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી ચેરમેન પદ ભાજપ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. તેમજ જો કોર્પોરેટર પર ભષ્ટ્રાચાર સાબિત થશે તો તેઓની સામે કડક કાર્યવાહી ભાજપ પક્ષ દ્વારા હાથ ધરાશે.
વધુ વાંચોઃ ભરતસિંહ સોલંકી નહીં લડે લોકસભા ચૂંટણી, ટ્વિટ કરીને કહ્યું 'મારી વર્તમાન જવાબદારીને...'
કમિશ્નર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગોકુલ નગર આવાસ યોજનામાં બાકી રહેલા 193 આવાસનો ડ્રો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરોના પતિઓ દ્વારા મળતીયાઓના નામે 20 જેટલા આવાસો પચાવી પાડ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવુંબેન મનસુખભાઈ જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનમાં તેમજ પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવા સૂચના પણ આપવામાં આવી છે. તો સાથે જ કોર્પોરેટર દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવના ત્રણ જેટલા વિડિયો પણ વાયરલ થયા છે. જે વાયરલ થયેલા વીડિયોમાં ફિમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું કહેવું છે કે બંને કૌભાંડ મુદ્દે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh