બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha sharma alibaba dastaan e kabul makers not replace actress show will continue with new actors

ટીવી ઇન્ડસ્ટ્રીઝ / શૉ બંધ થવાની ચર્ચા વચ્ચે 'Alibaba' મેકર્સનો મોટો નિર્ણય, શું તુનિષા શર્માના કેરેક્ટરને કરાશે રિપ્લેસ!

Premal

Last Updated: 05:29 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્માતા સ્ટોરીલાઈનને અચાનક સમાપ્ત નહીં કરે. એવામાં તેમણે અમુક ટીમના લોકોની સાથે શોના છેલ્લા એપિસોડ્સ શૂટ કર્યા છે. શો તો આગળ વધશે, પરંતુ તુનિષા શર્માના પાત્રને કોઈ રિપ્લેસ નહીં કરે, એવુ નિર્માતાનુ કહેવુ છે.

  • 'અલીબાબા'ના નિર્માતા સ્ટોરીલાઈનને અચાનક સમાપ્ત નહીં કરે
  • તુનિષા શર્માના પાત્રને કોઈ રિપ્લેસ નહીં કરે
  • શીજાન ખાનને રિપ્લેસ જરૂર કરી શકે છે

નિર્માતાએ ટીવો શો 'અલીબાબા'નો ટ્રેક બદલવાનો કર્યો વિચાર

ટીવી શો અલીબાબા: દાસ્તાં-એ-કાબુલની લીડ અભિનેત્રી તુનિશા શર્માએ 24 ડિસેમ્બરે શોના સેટ પર આત્મહત્યા કરી. આજે પણ કેટલાંક લોકોને આ સમાચારનો વિશ્વાસ આવતો નથી. શો અલીબાબા પર થોડા સમય માટે બ્રેક લાગી. જો કે, અત્યાર સુધી ટીવી પર બેકઅપમાં રાખવામાં આવેલા એપિસોડ્સને પ્રસારિત કરવામાં આવ્યાં. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે નિર્માતા ટૂંક સમયમાં શોને એક નવો મોડ આપશે. નિર્માતાએ શોનો ટ્રેક સંપૂર્ણ રીતે બદલવાનો વિચાર કર્યો છે.  

તુનિશા શર્માના પાત્રને રિપ્લેસ નહીં કરાય: નિર્માતા 

તુનિશા શર્મા અને શીજાન ખાન શોના લીડ અભિનેતા હતા. તુનિશા સુસાઈડ કેસમાં શીજાન હજી પણ પોલીસ કસ્ટડીમાં છે, એવામાં શોની આગળના એપિસોડ્સ કેવીરીતે શૂટ થાય, તે મુશ્કેલ થઇ રહ્યું છે. નિર્માતા સ્ટોરીલાઈનને પણ અચાનકથી પતાવી શકતાા નથી. એવામાં તેમણે અમુક ટીમના લોકોની સાથે શોના છેલ્લાં એપિસોડ્સ શુટ કર્યા છે. શો તો આગળ વધશે, પરંતુ તુનિશા શર્માના પાત્રને કોઈ રિપ્લેસ કરશે નહીં, એવુ નિર્માતાનુ કહેવુ છે. ચેનલના સત્તાવાર સુત્રો મુજબ, અલીબાબા શો ખત્મ નહીં થાય. બાકીના કલાકારો પર ધ્યાન કેન્દ્રીત કરીને સ્ટોરીલાઈનને આગળ વધારવામાં આવશે. જરૂર પડી તો નવા અભિનેતાને શોની સાથે જોડી શકાય છે. 

નિર્માતા શોધી રહ્યાં છે નવી અભિનેત્રી

શોના નિર્માતા નવી અભિનેત્રી શોધી રહ્યાં છે, પરંતુ તુનિશાને કોઈ રિપ્લેસ નહીં કરે, એવા સમાચાર આવી રહ્યાં છે. કોઈ બીજી અભિનેત્રીને નિર્માતા સાઈન કરશે, પરંતુ તેમનુ પાત્ર અલગ હશે. સમાચાર છે કે અભિષેક નિગમ, શીજાન ખાનને રિપ્લેસ જરૂર કરી શકે છે. જો કે, અભિષેક અથવા પછી ટીમ તરફથી તેના પર અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. જો કે, અભિષેકની મમ્મીએ કહ્યું છે કે તેમનો પુત્ર શોનો ભાગ નથી. હજી શોની શુટીંગ એક બીજા સેટ પર થઇ રહી છે, જે પહેલાવાળા સેટ પરથી ત્રણ કિલોમીટરના અંતર પર બનાવવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ