બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Palmistry : If people have these inauspicious signs on their palm then they can face trouble

હસ્તરેખા શાસ્ત્ર / જીવનભર મુશ્કેલીઓ, રૂપિયાની તંગી ઉભી કરે છે દુર્લભ રેખાઓ, હથેળીમાં આ અશુભ નિશાનો અપશુકનિયાળ

Vaidehi

Last Updated: 08:14 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસ્તરેખા શાસ્ત્રમાં માણસની હથેળી પર આવેલી રેખાઓ અને ચિહ્નોને જોઈને તેમના ભવિષ્યનું આંકલન કરી શકાય છે.

  • હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીની રેખાઓનો ઉલ્લેખ
  • રેખાઓ અને ચિહ્નો કરે છે માણસનાં ભવિષ્યનું આંકલન
  • કેટલીક નિશાનીઓ શુભ તો કેટલીક અશુભ

હસ્તરેખા શાસ્ત્રમાં માણસની હથેળી પર આવેલી રેખાઓ અને ચિહ્નોને જોઈને તેમના ભવિષ્યનું આંકલન કરવામાં આવે છે. જો કે કેટલીક નિશાનીઓ ઘણી દુર્લભ હોય છે. આ રેખાઓ જો શુભ છે તો માણસ જીવનભર પૈસાની કમી નથી અનુભવતો પણ જો અશુભ હોય તો સમગ્ર જીવન સંઘર્ષમાં વ્યતિત થાય છે.

રાહુ રેખા
જે જાતકોની હથેળી પર રાહુ રેખા હોય છે તેમનું સમગ્ર જીવન ચિંતામાં વ્યતિત થાય છે. આ પ્રકારનાં લોકોને મોટાભાગે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આડી-ત્રાંસી રેખાઓ
જે લોકોની હથેલી પર ઘણીબધી આડી-ત્રાંસી રેખાઓ હોય છે તે લોકો વારંવાર અસફળતાનો સામનો કરે છે. આ પ્રકારનાં લોકોનું જીવન ગૂંચવાડાવાળું રહે છે. પેટની બીમારીઓ, ભય અને હાયપરટેંશન જેવી સમસ્યાઓ રહે છે.

શનિ પર્વત પર ક્રોસની નિશાની
જે લોકોની હથેળીમાં શનિ પર્વત પર ક્રોસની નિશાની હોય છે. આ પ્રકારનાં લોકોને બદનામીનો સામનો કરવો પડે છે. આ લોકોને કાનૂની મામલામાં સજા મળે છે અને અંતિમ સમય ઘણો ખરાબ વ્યતિત થાય છે.

સૂર્ય રેખા
જે લોકોની હથેળીમાં સૂર્ય રેખા પર કોઈ અશુભ નિશાન હોય છે એ લોકો હંમેશા આર્થિક તંગીનો સામનો કરે છે. આ લોકો પર લોનનું દબાણ રહે છે અને વેપારમાં નુક્સાન ભોગવવું પડે છે. તેમને આંખોની પણ સમસ્યા રહેતી હોય છે.

વિવાહ રેખા
જે માણસની હથેળીમાં વિવાહ રેખા અનેક શાખાઓમાં વિભાજિત હોય તેમનું દાંપત્ય જીવન મુશ્કેલીભર્યું રહે છે. આ લોકોનો જીવનસાથી સાથે મતભેદ રહે છે અને છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ