બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Nitin Gadkari big statement is that you will be charged according to the number of kilometers you travel
Last Updated: 05:01 PM, 27 March 2024
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટોલ નાબૂદ કરવા જઈ રહી છે.
ADVERTISEMENT
બુધવારે (27 માર્ચ, 2024) મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું – અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.
'જેટલો રોડ યુઝ કરશો તેટલો જ Toll કપાશે', જુઓ ટોલ ટેક્સ મુદ્દે શું બોલ્યા નીતિન ગડકરી#Road #TallTax #TollTax #Gadkari #nitingadkari #VTVGujarati pic.twitter.com/xDA8zHm0Sq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 27, 2024
ADVERTISEMENT
સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમથી લોકોને કેવી રીતે ફાયદો થશે?
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો કે આ નવી સિસ્ટમ (સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ) હેઠળ સમય અને નાણાંની બચત થશે. જો કે, પહેલા મહારાષ્ટ્રના મુંબઈથી પુણે સુધીની મુસાફરીને પૂર્ણ કરવા માટે નવ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે તે માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાય છે.
વધુ વાંચોઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ આવ્યું 50 થી નીચે
ADVERTISEMENT
મોદી સરકાર તમામ શહેરો અને લાંબા રૂટમાં ઈ-બસ ચલાવશે
કેન્દ્રીય મંત્રીએ અગાઉ 18 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં તમામ ભારતીય શહેરોમાં અને દિલ્હી-શિમલા, દિલ્હી-ચંદીગઢ તેમજ મુંબઈ-પુણે જેવા કેટલાક લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના ધરાવે છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ એનડીટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે બેટરીના ભાવમાં ઘટાડાથી મુસાફરો માટે બસ ભાડામાં 30% ઘટાડો થશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.