બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 05:46 PM, 31 January 2024
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને વધુ એક જીત મળી છે. વારાણસીની જિલ્લા અદાલતે મોટો નિર્ણય આપતાં હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે સાત દિવસની અંદર પૂજા શરુ થવાનો આદેશ આપ્યો છે તેમજ વહીવટીતંત્રને સાત દિવસમાં બેરીકેટીંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. વ્યાસ તહખાના મસ્જિદની નીચે આવેલ છે. અહીં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. એએસઆઈના સર્વેમાં તેમાં ઘણા મહત્વપૂર્ણ હિંદુ મંદિરો હોવાના પુરાવા મળ્યા છે.
શું છે વ્યાસજી ભોંયરું વિવાદ?
કેસના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી આ ભોંયરામાં પૂજા કરતો હતો, પરંતુ 1993 પછી તત્કાલીન રાજ્ય સરકારના આદેશથી ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું હતું. 17 જાન્યુઆરીએ વ્યાસજીના ભોંયરાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યું હતું. ASI સર્વે દરમિયાન, ભોંયરું સાફ કરવામાં આવ્યું હતું અને હિંદુ પરિવારોએ તેમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. જ્ઞાનવાપી વિવાદના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે વ્યાસજીનું ભોંયરું મસ્જિદના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. વર્ષ 1993 સુધી અહીં પૂજા થતી હતી. નવેમ્બર 1993માં મુલાયમ સિંહ યાદવની સરકારે ભોંયરામાં પૂજા ન કરવાનો આદેશ આપ્યો હતો. કોઈપણ કારણ અને વિવાદ વગર પૂજા બંધ કરી દેવામાં આવી હતી અને પૂજારીઓને પણ હટાવવામાં આવ્યા હતા. આ જબરદસ્તી બંધારણની કલમ 25નું ઉલ્લંઘન છે.
નંદીની પ્રતિમા બરાબર જ્ઞાનવાપી સામે
વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે વ્યાસજીના ભોંયરામાંનો મામલો શ્રૃંગાર ગૌરી કેસથી તદ્દન અલગ છે. 18 ઓગસ્ટ, 2021ના રોજ, 5 હિન્દુ મહિલાઓએ સિવિલ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી કરી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે મસ્જિદનો ASI સર્વે કરાવવા જણાવ્યું હતું અને સર્વે કર્યા બાદ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ASI સર્વે કરવામાં આવ્યો ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી હતી. જે ભોંયરાની વાત કરવામાં આવી રહી છે તે મસ્જિદની અંદર હાજર છે. આ ભોંયરું મુલાયમ સરકારે બળજબરીથી બંધ કરી દીધું હતું.હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે વ્યાસ કોમ્પ્લેક્સનું ભોંયરું એ જગ્યાની બરાબર સામે છે જ્યાં ભગવાન નંદી બેઠા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh