પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અક્ષરધામ મંદિરમાં રજત જયંતિ મહોત્સવમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા છે.. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીનું પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.
જે બાદ એરપોર્ટ પરથી પ્રધાનમંત્રી મોદી રાજભવન જવા રવાના થયા અને ત્યાર બાદ અક્ષર ધામ મંદિર ખાતે જશે. જ્યાં રજત જયંતિ મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી મંદિરમાં પૂજા-અર્ચના કરી અને લાઈટ સાઉન્ડ શો પણ નિહાળશે. એટલે કે અહીં બે કલાક જેટલો સમય પસાર કરશે.
ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં રજત જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. જ્યાં સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રધાનમંત્ર મોદીએ મયૂર દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું અને ભગવાન નીલકંઠવર્ણીને જળાભિષેક કરી કેમના દર્શન પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ભગવાન નીલકંઠવર્ણીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પણ મેળવ્યા હતાં. અહીં સંતો દ્વારા પ્રધાનમંત્રી મોદીને સાલ અને પેનની ભેટ પણ આપવામાં આવી હતી. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ ભેટ સ્વાકરતા સમગ્ર મંદિર પરિસરની મુલાકાત પણ લીધી હતી. સાથે જ સાઈટિંગ સાઉન્ડ શો પણ માણ્યો હતો.
LIVE - PM મોદીનો ગુજરાત પ્રવાસ
PM મોદીએ અક્ષરધામમાં હરિભક્તોને સંબોધ્યા
- પ્રમુખ સ્વામીએ ફેલેવાને બદલે ઊંચાઈ તરફ ધ્યાન ધાર્યું: PM
- સ્વામીએ સામાજિક ચેતનાના કેન્દ્રો ઉભા કર્યા છે
- પ્રમુખ સ્વામીએ સામાજિક ચેતનાના કેન્દ્રો ઉભા કર્યા છે: PM
- પ્રમુખ સ્વામી સમયના બંધનમાં બંધાય તેવા ન હતા
- પ્રમુખ સ્વામી ને યાદ કરી PM મોદી ભાવુક થયા
- પ્રમુખ સ્વામીએ મંદિરોમાં ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કર્યો
- પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો બંધાવ્યા: PM
- મંદિરનો પથ્થર બોલતો હોય છે
- અક્ષરધામ મંદિરમાં દરેક પત્થર બોલે છે તેવો ભાવ થાય છે
- અક્ષરધામમાં આવે ત્યારે ભક્ત નથી હોતો જાય ત્યારે ભક્ત બનીને જાય છે
- અક્ષરધામ મંદિરમાં શાંતિ અનુભવાય છે: PM
- પ્રમુખ સ્વામી સમયના બંધનથી બંધાયેલા હતા: PM
- સ્વામીજી મારી ચિંતા દીકરાની જેમ કરતા હતા: PM
- સ્વામીજીએ ભાષણોની ટેપ મોકલવાનું મને કહ્યું હતું: PM
- ટેપ માંથી તેમને મારી ખામીઓ પણ દૂર કરી હતી: PM
- પૂજ્ય મહંત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું: PM
- મારે શું બોલવું અને શું ના બોલવું તેની ચિંતા સ્વામીજીને હતી: PM
- ગુજરાતમાં આવેલ દરેક આફતમાં સ્વામીજીએ મદદ કરી: PM
PM મોદીએ નિલકંઠવર્ણી ભગવાનનો જળાભિષેક કર્યો
PM મોદીએ મયૂર દ્વારનું કર્યું ઉદ્ધાટન
PM મોદી અક્ષરધામ રજતજયંતિ સમારોહમાં પહોંચ્યા
થોડીક્ષણોમાં PM મોદી અક્ષરધામ મંદિરે રજત જયંતિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચશે
PM મોદી રાજભવન પહોંચ્યા
PM રાજભવન જવા રવાના
અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરાયું
PM મોદી અમદાવાદએરપોર્ટ પહોંચ્યા
CM રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા
અક્ષરધામ ખાતે રજતજયંતિ કાર્યક્રમમાં આપશે હાજરી
થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
મોદીના આગમનને લઇને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
માનવ સાંકળ રચી કાર્યકર્તાઓ PM મોદીનું સ્વાગત કરશે
અક્ષરધામ ખાતે રજત જયંતિ સમારોહ
આનંદીબેન પટેલ અક્ષરધામ મંદિર પહોચ્યા
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અક્ષરધામ ખાતે હાજર
સૌરભ પટેલ આત્મારામ પરમાર મંદિરે હાજર