બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / You give good support, I will give you Hindu Rashtra: Bageshwar government gave new slogan

નિવેદન / તમે મારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ: બાગેશ્વર સરકારે આપ્યો નવો નારો

Priyakant

Last Updated: 11:25 AM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હજુ પણ લોકો બહાર નહીં નીકળે તો અમે તેમને કાયર ગણીશું. સાથે જ કહ્યું કે જો તમે સનાતની છો તો મને સાથ આપો. ઘરની બહાર નીકળો

  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ચર્ચામાં 
  • તમે સારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ: ધીરેન્દ્ર શાસ્ત્રી
  • અમે લોકોને અપીલ કરીએ છીએ કે, બંગડીઓ પહેરીને ઘરે ન બેસો: ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. તેમણે ગઇકાલે કહ્યું કે, આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બોઝે એક સૂત્ર આપ્યું હતું, પરંતુ આજે આપણે એક નવું સૂત્ર આપ્યું છે. તમે સારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ. આ સાથે તેમણે કહ્યું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે બંગડીઓ પહેરીને ઘરે ન બેસો. હવે મારે બહાર આવીને કહેવું પડશે.

Photo: बागेश्वर धाम सरकार Facebook

શું કહ્યું બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ? 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હજુ પણ લોકો બહાર નહીં નીકળે તો અમે તેમને કાયર ગણીશું. સાથે જ કહ્યું કે જો તમે સનાતની છો તો મને સાથ આપો. ઘરની બહાર નીકળો. હું માત્ર સનાતન ધર્મને આગળ લઈ જવા ઈચ્છું છું. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ધર્મના વિરોધીઓને જવાબ આપવો પડશે. તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ ભારત હિંદુ રાષ્ટ્ર છે. કેટલાક લોકોની અંદર સનાતની લોહી નથી. આવા લોકો હિંદુ બનીને હિંદુઓ પર સવાલો ઉભા કરે છે.

મારી પ્રાર્થના વ્યર્થ ન જવા દો: ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તમે બધાએ આ સ્લોગનને ઘણા લોકો સુધી પહોંચાડો. આ દરમિયાન તેમણે કહ્યું કે,. ભારતના હિંદુઓ એક થઈ ગયા તે પણ એક ચમત્કાર છે. એ પણ કહ્યું કે મારી પ્રાર્થના વ્યર્થ ન જવા દો. આ સાથે કહ્યું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે બંગડીઓ પહેરીને ઘરે ન બેસો. હવે મારે બહાર આવીને કહેવું પડશે.

Photo: बागेश्वर धाम सरकार Facebook

હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં: ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. હું ક્યારેય રાજકારણ નહીં કરું, અમે માત્ર સનાતનીઓને એક કરવાની વાત કરીશું. તેમણે કહ્યું કે, ભારતના દરેક સંત અમારી સાથે છે, તે આપણું સૌભાગ્ય છે. અમે બધા સાધુઓને પ્રાર્થના કરીશું કે, હવે ચૂપચાપ બેસી ન રહે. 

Photo: बागेश्वर धाम सरकार Facebook

બાગેશ્વર ધામ એક બહાનું હતું: ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ધર્મના વિરોધીઓને જવાબ આપવો પડશે. તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બાગેશ્વર ધામ એક બહાનું હતું, તેના બદલે કેટલાક લોકોએ સનાતન ધર્મને નિશાન બનાવવો હતો. આવા લોકો હિંદુ બનીને હિંદુઓ પર સવાલો ઉભા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ