બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Why did the opposition get angry with the Modi government over the war in Gaza?
Kishor
Last Updated: 05:46 PM, 28 October 2023
ઈઝરાયલ-હમાસ યુદ્ધનો મામલો અટક્વાનુ નામ જ નથી ત્યારે ત્યારે ગાઝામાં યુદ્ધવિરામનું આહ્વાન કરતા યુએન જનરલ એસેમ્બલીના ઠરાવથી ભારતે પોતાને દૂર રાખતા હવે કોંગ્રેસ સહિત વિપક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ નામ લીધા વગર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ ભારતના આ પગલાથી ચોંકી ગઈ છે અને તેને શરમનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે જ કહ્યું કે જ્યારે માનવતાની સાથે દરેક કાયદાને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે એ સમયે સ્ટેન્ડ ન લેવુ અને બીજી તરફ ચૂપચાપ બેસી રહેવુએ તદન ખોટુ છે.
“An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023
I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza.
Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down…
બીજી તરફ આ પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને કહ્યું કે ભારત પેલેસ્ટાઇન સાથે ઉભુ છે. પરંતુ પ્રિયંકા ગાંધી વોટ માટે આંતકવાદી સાથે ઉભી છે. ત્યારે ગિરિરાજસિંહે કહ્યું કે પ્રિયંકા ગાંધી તમે વોટ માટે હજુ શું-શું કરશો? ગિરિરાજસિંહે એમ પણ કહ્યું કે કોંગ્રેસને આમ પણ કલંક જ પસંદ છે.. પણ અમને કલંક પસંદ નથી. કારણ કે તમે વોટ માટે ગમે તે કરી શકો છો.
Israeli fauj ne ab tak Gaza, Palestine mein 7,000 se ziada logo'n ko maar diya, Poori duniya ko human rights ka dars dene wale America aur Europe aaj andhe aur bahre kyon ho gaye hain? - Barrisster @asadowaisi #AIMIM #AsaduddinOwaisi #palestine #Gaza #Gaza_Genocide #Gazabombing… pic.twitter.com/9Lv10kpJLC
— AIMIM (@aimim_national) October 28, 2023
જાણો પ્રિયંકાએ શું કહ્યું?
આ પહેલા પ્રિયંકાએ ભારત દ્વારા યુએનમાં ઉઠવવામાં આવેલા પગલાની ટીકા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે આંખના બદલે આંખ આખી દુનિયાને આંધળી બનાવી દે છે.. હું સ્તબ્ધ અને શરમજનક સ્થિતિનો અનુભવ કરૂ છું. કારણ કે દેશ ગાઝામાં સંધર્ષ-વિરામ માટે થયેલા મતદાનમાં હાજરી ન આપી.આપણા દેશનું નિર્માણ અસિંહા અને સત્યના સિંદ્ધાંતો પર થયું હતું.. જે સિદ્ધાંતો માટે આપણા સ્વતંત્રતાના સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આ સિદ્ધાંત સવંધાનનો આધાર છે જે આપણી રાષ્ટ્રીયતાને પરિભાષિત કરે છે.. જે ભારતના નૈતિક સાહસનું પ્રતિનિધિત્વ કરે છે.. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યના સ્વરૂપમાં તેના કાર્યોનું માર્ગદર્શન કર્યું છે.
વધુમાં પ્રિયંકાએ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે પેલેસ્ટાઈનમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવામાં આવી રહી છે.. ત્યારે આ સમયે સ્ટેન્ડ લેવાના બદલે એક બાજુ જઈને ચુપચાપ બેસી રહેવુ તે સાવ ખોટી અને પાયાવિહોણી વાત છે.બીજી બાજુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે યુદ્ધવિરામ અને નાગરિક જીવનના રક્ષણ માટે યુએનના ઠરાવ પર મતદાન કરવાથી ભારત દુર રહ્યું છે.. જે ખુબ હેરાન કરતુ આ ભારતનું પગલું છે. કારણ કે ઈઝરાયેલે ગાઝામાં 7028 લોકોની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા છે.. જેમાં 3000થી વધુ બાળકો અને 1700 મહિલાઓનો સમાવેશ થાય છે. અહિંયા જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી સ્થિતિ અહિંયા કાબુમાં નથી.. ઓવૈસીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી.. આ મુદ્દો માનવતાવાદીનો છે.. ઔવેસીએ સવાલ કર્યો કે ભારત કેમ લોકોના જીવન સંબંધિત મુદ્દાઓથી દુર રહે છે? ગાઝામાં સહાય મોકલી દીધા પછી કેમ ત્યાંગ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh