બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / After the statement of the billionaire Soros, the central government got angry
Priyakant
Last Updated: 03:44 PM, 17 February 2023
અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના એક નિવેદન બાદ કેન્દ્ર સરકાર ભડકી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી વિરુદ્ધ વિદેશી ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, પીએમ મોદીને બદનામ કરવા માટે ભારતમાં રાજકીય પક્ષોને ફંડ આપીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માંગે છે. તેમણે આ અંગે દેશના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આજે એક નાગરિક તરીકે હું દેશની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે, એક વિદેશી શક્તિ, જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ નામનો વ્યક્તિ છે, તેણે જાહેરાત કરી છે કે તે ભારતના લોકતાંત્રિક માળખાને નુકસાન પહોંચાડશે.
સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસને શું ચેતવણી આપી ?
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સોરોસે જાહેરાત કરી છે કે ,તેઓ પીએમ મોદીને તેમના હુમલાનો મુખ્ય મુદ્દો બનાવશે. તેમણે કહ્યું કે, સોરોસે જાહેરાત કરી છે કે, તેઓ પોતાની વિદેશી શક્તિ દ્વારા ભારતમાં એક એવી સિસ્ટમ બનાવશે જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ તેના ફાયદા માટે પણ કામ કરશે. સ્મૃતિએ અપીલ કરી હતી કે, જ્યોર્જ સોરોસે કહ્યું કે, તેઓ ભારતમાં મોદીને ઝુકાવી દેશે, ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારનો નાશ કરશે. સ્મૃતિએ કહ્યું કે, તે ભારત પર હુમલો છે અને દરેક ભારતીયે આ હુમલાનો યોગ્ય જવાબ આપવો જોઈએ.
The man who broke bank of England & is designated by nation an economic war criminal has now pronounced his desire to break Indian democracy. George Soros an international entrepreneur has declared his ill-intention to intervene in democratic processes of India: Smriti Irani, BJP pic.twitter.com/gA278ojjxE
— ANI (@ANI) February 17, 2023
આ સાથે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આજે આપણે જ્યોર્જ સોરોસને એકસાથે જવાબ આપીએ કે, લોકતાંત્રિક સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે, અમે પહેલા પણ વિદેશી દળોને હરાવી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ અન્ય વિદેશી દળોને હરાવીશું.
George Soros wants a govt that is pliable to his needs is more than evident from his statement. That he has announced funding of over a billion dollars to target leaders like PM Modi is significant. Every 5 yrs we elect a democratic govt: Smriti Irani, BJP pic.twitter.com/TATWcjmp4a
— ANI (@ANI) February 17, 2023
આરોપો પર કોંગ્રેસે શું કહ્યું ?
સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ ડિફેન્સ મોડ પર આવી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, પીએમને સંડોવતા અદાણી કૌભાંડ ભારતમાં લોકશાહી પુનરુત્થાનની શરૂઆત કરે છે કે નહીં તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. તેમને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી. અમારો નહેરુવાદી વારસો સુનિશ્ચિત કરે છે કે, તેમના જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો નક્કી ન કરી શકે.
PM से जुड़ा अडानी घोटाला भारत में लोकतांत्रिक पुनरुत्थान शुरू करता है या नहीं, यह पूरी तरह कांग्रेस, विपक्ष व हमारी चुनाव प्रक्रिया पर निर्भर है।
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023
इसका जॉर्ज सोरोस से कोई लेना-देना नहीं है।हमारी नेहरूवादी विरासत सुनिश्चित करती है कि उन जैसे लोग हमारे चुनाव परिणाम तय नहीं कर सकते।
જ્યોર્જ સોરોસે શું આક્ષેપો કર્યા?
જ્યોર્જ સોરોસે ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં લખેલા લેખમાં પીએમ મોદી પર પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા હતા. જ્યોર્જ સોરોસે કહ્યું હતું કે, પીએમ મોદી અદાણીના કારણે નબળા પડી ગયા છે અને તેમણે હવે સંસદ અને રોકાણકારોને જવાબ આપવો પડશે. સોરોસે કહ્યું હતું કે, આના કારણે શેરબજારમાં વેચવાલી આવી છે અને આનાથી ભારતમાં લોકશાહીનું પુનરુત્થાન થશે. સોરોસના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh