બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / દાહોદમાં બુથ કેપ્ચરિંગ થતાં કોંગ્રેસનો જોરશોર દેકારો, ભાજપ પર 'હત્યા'નો કર્યો આરોપ

લોકસભા ચૂંટણી 2024 / દાહોદમાં બુથ કેપ્ચરિંગ થતાં કોંગ્રેસનો જોરશોર દેકારો, ભાજપ પર 'હત્યા'નો કર્યો આરોપ

Last Updated: 05:45 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનિષ દોશીએ કહ્યું ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના નેતાના પુત્રએ મતદારો પાસેથી મત આપવાનો અધિકાર છીનવ્યો છે

દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.. તેમણે માત્ર આ એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની હોવાનો આક્ષેપ કર્યો છે.

આ બેઠક પર ફરીથી મતદાનની માંગ

કેટલાક પોલિંગ આફિસર અને કેટલાક પોલીસકર્મીઓને આ માટે જવાબદાર ગણાવ્યા.. સાથેજ કહ્યું કે ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના નેતાના પુત્રએ મતદારો પાસેથી મત આપવાનો અધિકાર છીનવ્યો છે. મનિષ દોશીએ કહ્યું કે જે અધિકારીએ ભાજપનું કામ કર્યું છે, જે પોલીસ કર્મીઓએ ભાજપનું કામ કર્યુ છે તેમણે પોતાનું કામ છોડીને ભાજપમાં જોડાઈ જવું જોઈએ" મનિષ દોશીએ માંગ કરી કે આવું માત્ર એક બુથ પરજ નથી થયું પરંતુ દાહોદ બેઠક પર અનેક બુથોમાં થયું છે.. માટે આ બેઠક પર ફરીથી મતદાન કરાવવું જોઇએ

શું છે સમગ્ર ઘટના ?

મહત્વપૂર્ણ છે કે મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હોવાની ફરીયાદ નોંધાઇ છે.. કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભા તાવિયાડે ફરીથી મતદાન કરાવવા માટે માંગ કરી છે. પ્રભા તાવિયાડે કહ્યુ હતું કે બૂથ કેપ્ચરિંગનો વીડિયો અમારા ધ્યાને આવ્યો છે.અમારા કાર્યકર્તાઓએ આ ઘટના અંગે ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે બૂથ કેપ્ચરિંગની ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ.અધિકારીઓએ આ મામલે તપાસ કરી પગલા લેવાનું કહ્યું છે. પ્રભા તાવિયાડે કહ્યું કે જે લોકો બુથ કેપ્ચરિંગમાં સંડોવાયેલા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ.

આ પણ વાંચોઃ યુવકે અધિકારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસના ઉમેદવાર ડૉ.પ્રભાબેને કરી ફરિયાદ

કલેક્ટરે કહ્યું વીડિયો તપાસ માટે મોકલ્યો છે

કે આ મામલે કલેક્ટરે જે નિવેદન આપ્યુ છે તેની વાત કરીએ તો કલેકટરે કહ્યું કે તેમને ફરીયાદીએ વ્હોટ્સએપથી વીડિયો મોકલ્યો છે. આ વીડિયો ફરીયાદીએ સંતરામપુર બાજુનો હોવાનું કહ્યું છે. જે બાદ આ વીડિયો સંતરામપુરના ARO ને વેરીફાઇ કરવા માટે મોકલ્યો છે. તપાસમાં જે સામે આવશે તે ચૂંટણીપંચને મોકલીશું, અમને ઔપચારિક રીતે આવી કોઇ માહિતી મળી નથી. તેમણે કહ્યું કે બીજી વખત મતદાન કરવાની સત્તા ચૂંટણીપંચની હોય છે"આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે "પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં આ પ્રકારનો કોઇ ઉલ્લેખ નથી મહીસાગર પોલીસ તંત્ર અને DEO પણ પોતાની રીતે તપાસ કરી રહ્યાં છે"

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ