બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
VTV / VTV વિશેષ / પાટીદારોમાં ભાગ પડાવતી પત્રિકા કોણે વાયરલ કરી? સમાજના નામે ભાગલા કોણ પડાવવા માગે છે?
Last Updated: 09:36 PM, 3 May 2024
રાજકીય પક્ષો માટે મોટેભાગે સમાજની વાત ચૂંટણી આવે ત્યારે સવિશેષ આવે. જો કે સમાજની આ વાતમાં સમાજને જોડવાની વાત કરતા સમાજમાં ખટરાગ ઉભો થાય એવી વાત વધારે હોય છે. રાજકોટમાં એક પત્રિકા વાયરલ થઈ જેને લઈને ફરી એકવાર હાઈપ્રોફાઈલ એવી રાજકોટ બેઠક ચર્ચામાં આવી અને ભાજપ-કોંગ્રેસના અપેક્ષાકૃત વાર-પલટવાર પણ થયા. પત્રિકાનો સાર એટલો હતો કે રાજકોટ બેઠક ભૂતકાળમાં લેઉવા પાટીદારની બેઠક હતી જેને હવે સિફતપૂર્વક કડવા પાટીદારને આપી દેવામાં આવી છે. પાટીદાર સમાજ જ્યારે મા ખોડલ અને મા ઉમાના નામે એક હોવાના સોગંદ ખાતો હોય અને લેઉવા તથા કડવા અગ્રણીઓ સાથે મળીને સમાજના સારા કામ કરતા હોય ત્યારે આવી વૈમનસ્ય ફેલાવતી પત્રિકાને કોઈ સ્થાન હોવું જ ન જોઈએ તે એકને એક બે જેવી વાત છે. કોંગ્રેસ કહે છે કે અમારે પત્રિકા સાથે લેવા-દેવા નથી તો બીજી તરફ રાજકોટ ભાજપના જ શહેર પ્રમુખ આ પત્રિકાને લઈને પોલીસમાં અરજી આપે છે અને ફરિયાદના આધારે ચાર યુવકોની અટકાયત થાય છે અને પછી જામીન ઉપર તેનો છૂટકારો પણ થઈ જાય છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપની વચ્ચે સવાલ એ છે કે આવી પત્રિકા વાયરલ કરીને પાટીદાર સમાજના ભાગ પાડવાનો બોગદા દ્રષ્ટિનો પ્રયાસ કોણ કરી રહ્યું છે.
ADVERTISEMENT
વાયરલ પત્રિકાનો મુદ્દો
ADVERTISEMENT
વાયરલ થયેલી પત્રિકાથી રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજના નામે પત્રિકા વાયરલ થઈ છે. પત્રિકા વાયરલ થયા બાદ આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયા છે. પાટીદાર સમાજમાં ભાગ પડાવવાનો પ્રયાસ કોનો છે? લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે ભેદ કોણ કરાવવા માગે છે? સમાજના નામે ભાગલાવાદી લોકો સક્રિય થયા છે?
રાજકોટમાં શું બન્યું?
લેઉવા પાટીદાર સમાજના નામે પત્રિકા વાયરલ થઈ છે. પત્રિકા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. 4 લેઉવા પાટીદાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી. દિવસ દરમિયાન ભાજપ-કોંગ્રેસ તરફથી આક્ષેપ-પ્રતિ આક્ષેપ ચાલ્યા. કોર્ટે ચારેય યુવકોને જામીન ઉપર છોડ્યા
વાયરલ પત્રિકાનો સાર શું હતો?
ભૂતકાળમાં રાજકોટ બેઠક ઉપર લેઉવા પટેલને ટિકિટ મળતી હતી. રાજકોટ બેઠક ઉપર લેઉવા પાટીદાર જીત મેળવતા હતા. રાજકોટ બેઠક સિફતપૂર્વક કડવા પાટીદારને આપી દેવામાં આવી છે. પત્રિકામાં આડકતરી રીતે પરેશ ધાનાણીને સમર્થન કરવાની વાત કરાઈ છે. પત્રિકામાં પરશોતમ રૂપાલાનો આડકતરી રીતે વિરોધ કરાયો છે. રાજકોટ બેઠક ફરી લેઉવા પાટીદારની બને તેવી પત્રિકામાં વાત
પત્રિકા વિવાદ અંગે કોંગ્રેસે શું કહ્યું?
અમે કોઈ પત્રિકા વાયરલ કરી નથી. ભાજપ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા માગે છે. ભાજપના આંતરિક અસંતોષનું પરિણામ છે. પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે વર્ગવિગ્રહનો ભાજપે પ્રયાસ કર્યો. બંને સમાજે અસાધારણ સંયમ બતાવ્યો. લોકોને સ્પર્શતા મુદ્દાઓથી ભાજપને ધ્યાન ભટકાવવું છે
પત્રિકા વિવાદ અંગે ભાજપે શું કહ્યું?
કોંગ્રેસ હતાશ છે તેમજ કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી. સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનું કામ કોંગ્રેસ કરે છે. ખોટું કરનારાનું જુઠ્ઠાણું સામે આવી જ જાય છે. ભાજપ કોઈ છૂપા એજન્ડા સાથે ચાલતું નથી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT