બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Vidhata
Last Updated: 02:47 PM, 25 April 2024
વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો પુત્ર 6 દિવસથી ગુમ છે. પોલીસે 15 વર્ષીય સગીરને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ ગુમ સગીરને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે, પણ હજુ સુધી 15 વર્ષીય સગીરની કોઈ ભાલ મળી રહી નથી.
ADVERTISEMENT
ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયા જગદીશ જોશીનો 15 વર્ષનો પુત્ર જય જોશી અચાનક ગાયબ થઈ જતાં પરિવાર ચિંતિત બન્યો છે. દીકરો ગુમ થઈ જતા આખા પરિવારની હાલત કફોડી છે. દીકરો ગુમ થઈ જતા માતાપિતાનાં આંસુ સુકાતા નથી, તો એની બહેન પણ ભાઈના પાછા આવવાની રાહ જોઈ રહી છે. એક તરફ પોલીસ બાળકોને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે ત્યારે બીજી તરફ માતાએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે.
ADVERTISEMENT
15 વર્ષીય સગીર જય જોશીના લાપતા થતા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, સગીરે વૈરાગ્યની વાત કરી હતી, જેથી પરિવારને આશંકા છે કે એ ભક્તિના માર્ગે વળી ગયો છે. જેથી પોલીસે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરને પણ આ અંગે જાણ કરી છે. આ સમગ્ર કેસમાં પિતાએ પોલીસને જણાવ્યું કે એમના દીકરાએ વૈરાગ્યની વાત કરી હતી, જેને લઈને પિતાએ તેને ઘર ન છોડવા માટે સમજાવ્યો હતો. પિતાએ સમજાવ્યા છતાં ઘર છોડી દેતાં 15 વર્ષના પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે. લાપતા સગીરને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. લાપતા સગીરના પરિવારને લાગે છે કે એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે.
વધુ વાંચો: હરણી લેક દુર્ઘટનાનો મામલો, ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરી
લાપતા સગીર જય જોશીના પિતા જગદીશ જોશીએ કહ્યું કે એમને લાગે છે કે એમનો દીકરો આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે અને એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. માતાએ પણ અન્નજળનો ત્યાગ કરી દીધો હોવાને કારણે તેની તબિયત પણ લથડી રહી છે. પિતાએ રડતા રડતા કહ્યું કે દીકરા ઘરે પાછો આવી જા. કોઈ તને કઈ જ નહીં કહે. તને જે કરવું હોય એ કરવા દઈશું. તારી મમ્મી ખાતી નથી, પીતી નથી, એની તબિયત બગડી રહી છે. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT