બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Alkapuri Govardhannathji Haveli Mukhiya son missing for 6 days

વડોદરા / 'તારી મમ્મી ખાતી નથી, પીતી નથી...', છેલ્લાં 6 દિવસથી ગુમ છે વડોદરાના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો પુત્ર

Vidhata

Last Updated: 02:47 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીના મુખિયાનો 15 વર્ષીય પુત્ર 6 દિવસથી ગુમ છે. ત્યારે આટલા દિવસથી દીકરાની કોઈ ખબર ન મળતા આખો પરિવાર ચિંતિત છે.

વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો પુત્ર 6 દિવસથી ગુમ છે. પોલીસે 15 વર્ષીય સગીરને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ ગુમ સગીરને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે, પણ હજુ સુધી 15 વર્ષીય સગીરની કોઈ ભાલ મળી રહી નથી. 

ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયા જગદીશ જોશીનો 15 વર્ષનો પુત્ર જય જોશી અચાનક ગાયબ થઈ જતાં પરિવાર ચિંતિત બન્યો છે. દીકરો ગુમ થઈ જતા આખા પરિવારની હાલત કફોડી છે. દીકરો ગુમ થઈ જતા માતાપિતાનાં આંસુ સુકાતા નથી, તો એની બહેન પણ ભાઈના પાછા આવવાની રાહ જોઈ રહી છે. એક તરફ પોલીસ બાળકોને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે ત્યારે બીજી તરફ માતાએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે. 

15 વર્ષીય સગીર જય જોશીના લાપતા થતા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, સગીરે વૈરાગ્યની વાત કરી હતી, જેથી પરિવારને આશંકા છે કે એ ભક્તિના માર્ગે વળી ગયો છે. જેથી પોલીસે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરને પણ આ અંગે જાણ કરી છે. આ સમગ્ર કેસમાં પિતાએ પોલીસને જણાવ્યું કે એમના દીકરાએ વૈરાગ્યની વાત કરી હતી, જેને લઈને પિતાએ તેને ઘર ન છોડવા માટે સમજાવ્યો હતો. પિતાએ સમજાવ્યા છતાં ઘર છોડી દેતાં 15 વર્ષના પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે. લાપતા સગીરને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. લાપતા સગીરના પરિવારને લાગે છે કે એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે. 

વધુ વાંચો: હરણી લેક દુર્ઘટનાનો મામલો, ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરી

લાપતા સગીર જય જોશીના પિતા જગદીશ જોશીએ કહ્યું કે એમને લાગે છે કે એમનો દીકરો આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે અને એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. માતાએ પણ અન્નજળનો ત્યાગ કરી દીધો હોવાને કારણે તેની તબિયત પણ લથડી રહી છે. પિતાએ રડતા રડતા કહ્યું કે દીકરા ઘરે પાછો આવી જા. કોઈ તને કઈ જ નહીં કહે. તને જે કરવું હોય એ કરવા દઈશું. તારી મમ્મી ખાતી નથી, પીતી નથી, એની તબિયત બગડી રહી છે. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ