સરકારના આધાર કાર્યક્રમને ચલાવતી UIDAI હવે વર્ચુઅલ આધાર ID લઇને આવશે જેમાં 16 નંબરોનો ટેમ્પરરી નંબર હશે જેથી લોકો જ્યારે ઇચ્છે ત્યારે પોતાના આધારની જગ્યાએ આ વર્ચુઅલ ID શૅર કરી શકે છે. આ અંગે વાત કરતા UIDAIના CEOએ જણાવ્યુ કે સુરક્ષા માટે વર્ચુઅલ આધાર ID લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
CEOએ આગળ કહ્યુ કે ''સુરક્ષાના મુદ્દા સંવેદનશીલ હોવું જરૂરી છે અને તમામ પ્રકારના પડકારો માટે તૈયાર રહેવું જોઇએ.'' જોકે તેમણે કહ્યુ કે ''વર્ચુઅલ આધાર ID જરૂરી નથી લોકોની પાસે વિકલ્પ છે કે ક્યાં તો તેઓ વર્ચુઅલ આધાર ID ઉપયોગ કરે અથવા તો આધારન નંબરનો..''
આધાર ડિટેલ્સ લીક થવા પર તેમણે કહ્યુ કે ''પોલીસ તપાસ કરી રહી છે કેમકે સીમિત જાણકારી માટે લૉગઇન ની સુવિધા રાજ્યોના અધિકારીઓને આપવામાં આવી છે.''
તમને જણાવી દઇએ કે નવી સિસ્ટમનો હેતુ આધાર ડિટેલ્સ લીક થવા પર અને દુરુપયોગના મામલાઓમાં ઘટાડો કરવા માટે અને 119 કરોડ લોકોની ઓળખની ગોપનીયતાને પ્રોત્સાહન આપવા માટેનો છે. હવે 12 નંબરના આધાર નંબરની જગ્યાએ 16 નંબરની વર્ચુઅલ આધાર IDનો ઉપયોગ કરવામાં આવશે. ધ્યાન આપવાની વાત એ છે કે 16 નંબરનો વર્ચુઅલ આધાર ID કેટલાક સમય માટે જ માન્ય રહેશે નક્કી કરેલા સમય પછી યૂઝરે ફરી નવું ID જનરેટ કરવું પડશે.