બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ગુજરાત / વડોદરા / વડોદરામાં શેરડીની લારીવાળાએ ઝેરી શેરડીનો રસ પીવડાવીને પિતા-પત્નીને મારી નાખ્યાં, પુત્ર ગંભીર, પોતે ઝેર પીધું
Last Updated: 05:29 PM, 4 May 2024
ઉનાળાની બળબળતી ગરમીમાં શેરડીનો રસ પીવો કોને ન ગમે? પરંતુ એક પરિવારને તો ઝેરી શેરડીનો રસ પીવો પડ્યો અને તેમાં મોટી દુર્ઘટના બની ગઈ. વડોદરાના તરસાલીમાં શેરડીનું કોળુ ચલાવનાર ચેતન સોની નામના શખ્સે પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું જેમાં પિતા અને પત્નીનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે પુત્રની હાલત ગંભીર થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અંતિમ સંસ્કાર બાદ મામલો ખુલ્યો
ચેતન સોનીએ આપેલો ઝેરવાળો શેરડીનો રસ પીવાથી પિતા અને પત્નીનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે ચેતન સોનીએ બન્નેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં હતા જે પછી આ સનસનીખેજ મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે ચેતન સોનીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT
શા માટે શેરડીના રસમાં ઝેર આપ્યું?
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ચેતન સોનીએ આર્થિક સંકડામણને કારણે આવું પગલું ભર્યું હતું. હાલ ચેતન સોની અને પુત્ર આકાશ સોનીની સારવાર ચાલી રહી છે.
ચેતન સોનીએ પણ પીધું ઝેર
ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી અને પત્ની બિંદુએ પણ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીધું હતું. આ પછી મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસને જણાયું કે ચેતનભાઇના પત્ની અને પિતાનું અગાઉ મોત થયું હતું અને પોલીસને જાણ વગર બારોબાર અંતિમવિધિ પણ કરી નાખી હતી. શંકા જતાં પોલીસે તેને રાત્રે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પોલીસ તેઓને ઘરે તપાસ કરવા માટે પણ લઈ ગઈ હતી અને ત્યારે પોલીસને ખબર પડી હતી કે ચેતન સોનીએ પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું. આ પછી પકડાઈ જવાની બીકે ચેતને પોલીસની નજર ચુકવીને ઝેરી દવા પી લીધી હતી થોડા સમય પછી તેઓને પણ ઉલટી શરૂ થતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવ્યું હોવાની શંકા
મકરપુરા PI જે.એન. પરમારે કહ્યું હતું કે પોટેશિયમ સાઈનાઈડની ગોળી ભેળવાયેલો શેરડીનો રસ પીધા બાદ ઝેરી અસર થઈ હતી.
ઘર બહાર જાળીએ બાંધ્યાં પિતા-પત્નીના અસ્થિકળશ
ચેતન સોનીએ કોઈને કીધા વગર પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતા અને અસ્થિ કળશ ઘર બહાર જાળીએ બાંધી દીધાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT