બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / ઘરમાં ઉંદરનો છે ત્રાસ: આ જાપાની નુસખા છે કારગર, ઉભી પૂંછડિયે ભાગશે
Last Updated: 11:12 PM, 30 April 2024
ઘરમાં ઉંદરો આવે છે ત્યારે ચીજવસ્તુઓને નુકશાન પહોચાડે છે. ઘરવખરી પણ કોતરી ખાય છે જેને લીધે ગૃહિણીઓ પરેશાન બને છે. તમે ઇચ્છો તો રેડ કિલરથી તેને એક જ સમયે ખતમ કરી શકો છો, પરંતુ ઉંદરોને ભગવાન ગણપતિની સવારી માનવામાં આવે છે. તેથી તેમને મારવાનું વિચારવું સરળ નથી. પરંતુ ઉંદરો પહેલા તો બિનઆમંત્રિત મહેમાનોની જેમ ઘરમાં આવે છે ત્યાર બાદ ઘર છોડવાનું નામ લેતા નથી.આટલું જ નહીં ક્યારેક તેઓ ખાવાની વસ્તુઓને તો ક્યારેક કપડાંને નુકસાન પહોંચાડે છે. તેઓ કીમતી ચીજો પણ ચીરી નાખે છે. તેથી જ તેમનું ઘરમાં આવવું કોઈને ગમતું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે ઘરમાં એક પછી એક નુકસાન થાય છે, ત્યારે પરિવારના લોકો નારાજ થાય છે અને ઉંદરોને રેટ કિલર ખવડાવવાનું મન બનાવી લે છે. પરંતુ ઘણા લોકો તેમ કરી શકતા નથી. તો ચાલો ઉંદરોને ઘરમાંથી ભગાડવાનો ઉપાય શોધીએ. આવી સ્થિતિમાં તમારી સમસ્યાને ઓછી કરવા માટે અમે તમને એક જાપાની રીત જણાવી રહ્યા છીએ. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે અમે આ ઉપાય અજમાવ્યો ત્યારે તે ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં અસરકારક સાબિત થશે અને તેના ખૂબ જ સારા પરિણામો સામે આવ્યા છે.
ઉંદરોને ભગાડવાની જાપાની રીત
એક સમય હતો જ્યારે જાપાનની રાજધાની ટોકિયોમાં એક વોર્ડ ઉંદરોના આતંકથી પરેશાન હતો. 2019 થી 2022 સુધીમાં મળેલી 200 ફરિયાદો 2023 માં 400નો આંકડો પાર કરી ચુકી હતી. પછી ઉંદરોની વધતી જતી વસ્તીને રોકવા માટે વોર્ડે કચરો નિકાલ કરતી કંપનીઓના જૂથ સાથે મળીને એક મોડેલ પ્રોજેક્ટ શરૂ કર્યો. જેમાં આવી કચરાપેટીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં ફુદીના જેવી જડીબુટ્ટીઓની ગંધ આવતી હતી. અને ઉંદરો આ ગંધને ધિક્કારે છે. આ રીતે ફુદીનાની સુગંધથી ઉંદરોને ભગાડવામાં સફળતા મળી.
શા માટે ઉંદરો પેપરમિંટથી ભાગી જાય છે?
જો તમે પેપરમિંટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો એ પણ જાણી લો કે ઉંદરોને ફુદીનાની ગંધ કેમ પસંદ નથી. વાસ્તવમાં ઉંદર ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે, જેને સહેજ ગંધથી પણ રોકી શકાય છે. અને, ફુદીનામાં માત્ર તીવ્ર ગંધ જ નથી, પરંતુ તેમાં એક વિશિષ્ટ તાજગી પણ છે જે ઉંદરોને ખાસ ગમતી નથી. તેથી ઉંદરો તેજ, અતિ સુગંધ સાથે શુદ્ધ અને કુદરતી પેપરમિંટ તેલની ગંધને સહન કરી શકતા નથી.
પેપરમિંટ વડે ઉંદરોને ભગાડો
ટોક્યોના દાખલાથી જોવા મળે છે કે ઉંદરોને ફુદીનાની ગંધ બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં તમે ઉંદરોથી છુટકારો મેળવવા માટે પેપરમિંટ તેલની મદદ પણ લઈ શકો છો. પેપરમિંટ તેલનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. આ ટ્રિક અજમાવવાથી ઉંદરો માત્ર ઘરની બહાર જ નહીં નીકળે પરંતુ ફરી પાછા પણ નહીં આવે.
આ પણ વાંચોઃ રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
આ રીતે પેપરમિંટનો ઉપયોગ કરો
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT