બ્રેકિંગ ન્યુઝ
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
Last Updated: 01:33 PM, 9 May 2024
ભારતમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 1950 અને 2015 ની વચ્ચે હિંદુઓની વસ્તીમાં 7.8 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં 43 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અહેવાલ મુજબ એક અભ્યાસ દર્શાવે છે કે, ભારતમાં હિંદુઓની વસ્તી હિસ્સો 1950 અને 2015 ની વચ્ચે 7.8% જેટલો ઝડપથી ઘટી ગયો છે જ્યારે ભારતના ઘણા પડોશી દેશોમાં તેમના બહુમતી સમુદાયની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે પોતાના અહેવાલમાં વિશ્વના 167 દેશોના વલણોનો અભ્યાસ કર્યો હતો. આ રિપોર્ટ મે 2024માં બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર જ્યાં એક તરફ ભારતમાં બહુમતી હિંદુઓની વસ્તીનો હિસ્સો ઘટ્યો છે તો બીજી તરફ મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સહિત અન્ય લઘુમતીઓનો વસ્તી હિસ્સો વધ્યો છે. જોકે જૈનો અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1950 અને 2015 વચ્ચેના સમયગાળામાં ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં 43.15%નો વધારો થયો છે, જ્યારે ખ્રિસ્તીઓમાં 5.38%, શીખોમાં 6.58% અને બૌદ્ધોમાં નજીવો વધારો જોવા મળ્યો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે 1950 અને 2015 વચ્ચે એટલે કે 65 વર્ષ વચ્ચે વસ્તીમાં થયેલા ફેરફારોનો અભ્યાસ કર્યો છે.
ADVERTISEMENT
હિન્દુઓ ઘટ્યા, મુસ્લિમો વધ્યા
એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ EAC-PM એટલે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અહેવાલ મુજબ ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 1950માં 84% હતો જે ઘટીને 2015માં 78% થયો હતો. જ્યારે આ જ સમયગાળામાં (65 વર્ષ) મુસ્લિમોનો હિસ્સો 9.84% થી વધીને 14.09% થયો છે. ભારતમાં બહુમતી એટલે કે હિંદુઓની વસ્તીમાં 7.8 ટકાનો ઘટાડો થયો છે. ભારતની જેમ પડોશી દેશ મ્યાનમારમાં પણ બહુમતી વસ્તીમાં 10%નો ઘટાડો નોંધાયો છે. નેપાળની સ્થિતિ પણ આવી જ છે જ્યાં તેની બહુમતી (હિંદુ) વસ્તીમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે.
આવો જાણીએ શું છે ભારતના પડોશી દેશોની હાલત ?
જો આપણે ભારતના અન્ય પડોશી દેશોની વાત કરીએ જ્યાં મુસ્લિમોની બહુમતી છે, તો બાંગ્લાદેશની બહુમતી વસ્તીમાં 18.5 ટકાનો વધારો થયો છે. એ જ રીતે બહુમતી વસ્તી (મુસ્લિમ) પાકિસ્તાનમાં 3.75 ટકા અને અફઘાનિસ્તાનમાં 0.29 ટકા વધી છે. આ સિવાય માલદીવમાં તેની બહુમતી વસ્તી (સુન્ની)માં 1.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારતના બે પડોશી દેશો ભૂટાન અને શ્રીલંકામાં બહુમતી વસ્તી વધી છે. ભૂટાનમાં બહુમતી વસ્તીમાં 17.6 ટકા અને શ્રીલંકામાં 5.25 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા અને ભૂટાનમાં બૌદ્ધ ધર્મના લોકો બહુમતીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન, કરી જનતાને અપીલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT