ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ કસ્ટમર્સને જાણ કરી જણાવ્યું છે કે જો તમે આમ નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઇ જશે. જો કસ્ટમર્સ બેન્ક દ્વારા અપાયેલી માહિતી નહી માને તો ખાતુ બંધ કરી દેવામાં આવશે.
એસબીઆઇએ પાંચ ફેબ્રુઆરીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી પોતાના ગ્રાહકોને એક રિમાઇન્ડર બહાર પાડ્યું છે. આ રિમાઇન્ડરમાં બેન્કે પોતાના ગ્રાહકોને બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ લિન્ક કરાવું ફરજિયાત છે.
બેન્કે ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે 31 માર્ચ 2018 સુધી ખાતાધારકોએ પોતાના ખાતા સાથે આધારને લિન્ક કરાવું ફરજિયાત રહેશે. આમ નહી કરવાથી ગ્રાહકોના ખાતા બંધ કરી દેવામાં આવશે. બેન્કે જણાવ્યું છે ક પીએમએલ નિયમ અનુસાર (31 જૂન 2018) મુજબ એસબીઆઇ ગ્રાહકોએ 31 માર્ચ 2018 સુધી આધાર નંબર આપવો પડશે.
જો કે બેન્કે કેટલી રીતે આધાર કાર્ડ લિન્ક કરાવી શકો છો તે પણ જણાવ્યું છે. જેમાં ઇન્ટરનેટ બેન્કિંગ સ્ટેટ બેન્ક એનીવેયર (મોબાઇલ એપ) એટીએમ અને બેન્કની શાખાઓમાં આધાર લિન્ક કરાવી શકાય છે.