દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) પોતાના કસ્ટમર્સ માટે એક અલર્ટ જારી કર્યુ છે. SBIના કસ્ટમર્સે જો અંગે ધ્યાન ન આપ્યુ તો તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ખાલી થઇ જશે.
જી હા SBIએ લગભગ પોતાના 17 કરોડ ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે અલર્ટ જારી કર્યુ છે. SBIએ પોતાના ડેબિટ કાર્ડ હોલ્ડર્સને કહ્યુ છે કે ''તેઓ પોતાની માતાની સરનેમ કોઇ પણ વ્યકિતની સાથે શૅર ન કરે.'' કેમકે જ્યારે SBIના ડેબિટ કાર્ડ હોલ્ડર્સ ડેબિટ કાર્ડ નો પાસવર્ડ રિસેટ કરવા માંગે છે ત્યારે તેમને સિક્યોરિટી માટે માતાની સરનેમ અથવા તો પેટ નેમ આપવાનું રહે છે.
એવામાં જો SBIના કસ્ટમર્સ છો અને આ અંગેની જાણકારી તમે કોઇ બીજાને શૅર કરશો તો કોઇ તમારો પાસવર્ડ ચેન્જ કરીને તમને નુકસાન પહોંચાડી શકે છે.
SBIના અધિકારીઓ અનુસાર હેકર્સ અને ફોર્ડથી બચવા માટે ઇન્ટરનેટ બેંકિંગની યૂઝર આઇડી અને પાસવર્ડ કોઇ ન જણાવો અને પાસવર્ડ હંમેશા સ્ટ્રૉગ રાખો. કેમકે સરળ પાસવર્ડ ક્રેક થઇ જાય છે આ સિવાય સમય સમય પર પાસવર્ડ બદલવાથી એકાઉન્ટ હંમેશા સિક્યોર રહેશે.
કેન્દ્રીય વિત્ત રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લાએ તાજેતરમાં જ લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી કે 2016-17માં બેંકોએ ફ્રોડના મામલામાં લગભગ 17000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વિત્ત મંત્રાલયે રિઝર્વ બેંકની ફ્રોડ મોનીટરિંગ કમિટીના રિપોર્ટના આધારે આ અંગેની જાણકારી આપી હતી.