બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ભારત / રાકેશ ઝુનઝુનવાલાના અવસાન બાદ પત્ની રેખાની માઠી દશા, એક ઝાટકે ગયા 800 કરોડ, જાણો શું બન્યું
Last Updated: 03:06 PM, 7 May 2024
દિવંગત ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સોમવારે તેમની કંપની ટાઈટનના શેરમાં મોટો કડાકો બોલી જવા પામ્યો હતો તેને કારણે તેમને 800 કરોડનું નુકશાન સહન કરવું પડ્યું હતું. તેમના પતિ જ્યારે જીવતા હતા ત્યારે તેમની કંપનીનો એક રુપિયો પણ જતો નહોતો પરંતુ તેમના અવસાન બાદ રેખા ઝુનઝુનવાલાની માઠી દશા બેઠી હોવાનું જણાઈ રહ્યું છે.
ADVERTISEMENT
Rekha Jhunjhunwala, wife of late investor Rakesh Jhunjhunwala, suffered an over ₹800 crore loss on Monday due to a sharp decline in Titan Company shares, their biggest bet. She holds a 5.35% stake in #Titan, valued at ₹16,792 crore as of the previous Friday's closing, which… pic.twitter.com/ENOnpZFoDU
— ABP LIVE (@abplive) May 7, 2024
ADVERTISEMENT
ટાટા જૂથની કંપની ટાઈટનમાં રેખાનો મોટો હિસ્સો
ટાટા જૂથની કંપની ટાઈટન, ઝુનઝુનવાલાની સૌથી મોટી બેટિંગ કંપની છે. રેખા ઝુનઝુનવાલા 5.35% હિસ્સો ધરાવે છે. શુક્રવારના બંધ સમયે રેખાનું હોલ્ડિંગ ₹ 16,792 કરોડનું હતું. સોમવારે રેખાને મોટું નુકસાન થયું હતું કારણ કે માર્ચ ક્વાર્ટરની કમાણી રોકાણકારોને ઉત્સાહિત કરવામાં નિષ્ફળ ગયા બાદ ટાઇટનના શેરમાં 7% થી વધુ ઘટાડો થયો હતો. દિવસ દરમિયાન શેર ₹ 3,352.25ની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ₹ 3,281.65 પર બંધ થયો હતો. પરિણામે, કંપનીની ચોખ્ખી આવક 3 લાખ કરોડથી ઘટીને 2,91,340.35 કરોડ થયું હતું, જે તેની માર્કેટ કેપમાંથી ₹ 22,000 કરોડથી વધુનું ધોવાણ થયું હતું. ઘટાડાથી ઝુનઝુનવાલાના ટાઈટનના હિસ્સાની કિંમત લગભગ ₹ 15,986 કરોડ થઈ ગઈ છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં તેના ટેક્સ પછીના એકીકૃત નફા (PAT)માં 5%નો વધારો કરીને ₹ 771 કરોડ નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ₹ 736 કરોડનો PAT હતો.
વધુ વાંચો : શેખર સુમન હવે એક્ટિંગ બાદ રાજનીતિમાં ભજવશે દમદાર રોલ, ધારણ કર્યો ભાજપનો ખેસ
14 ઓગસ્ટ 2022ના રોજ રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન
ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટ 2022ના રોજ પ્રસિદ્ધ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ખુદ પીએમ મોદી પણ તેમના ફેન હતા. કરોડપતિ હોવા છતાં પણ તેઓ તેમની સાદગી માટે જાણીતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT