જો તમે તમારો પાનકાર્ડ નંબર આદારકાર્ડ સાથે લિંક નથી કરાવ્યો તો તમારૂ પાનકાર્ડ રદ્દ થઈ શકે છે. સરકારે 31 ઓગસ્ટ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનો આદેશ આપ્યો છે. નાણાં મંત્રાલયે સાથે એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવામાં નહીં આવે ત્યાં સુધી રિટર્ન ફાઈલ પણ નહી થઈ શકે. રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ પણ સ્પષ્ટતા કરી કે જે નક્કી કરેલ સમય મર્યાદામાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક ન કરાવ્યું તો તમારો પાન નંબર પણ કેન્સલ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં લગભગ 2 કરોડથી પણ વધારે લોકો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરાવી ચુક્યા છે. દેશભરમાં કુલ 25 કરોડ પાનકાર્ડ હોલ્ડર છે. દેશમાં હાલ 111 કરોડ લોકો પાસે આધારકાર્ડ છે.