કાળાનાણાં અને અને બેનામી આવક છુપાવનારાઓને બહાર લાવવામાટે થઇને સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવી હતીપરંતુ નોટબંધીને કારણે નાના લોકોએ ખાસ હાલાકી ભોગવવી પડી. બજારમાં પુરતા પ્રમાણમાં 2000 ની નોટ તથા અન્ય નોટો પ્રાપ્ત ના થઇ શકવાને કારણે કેટલીય સમસ્યાઓ ઉભી થઇ હતી.
આ ઘટના બાદ એક નવી જાણકારી સામે આવી હતી. તાજેતરમાં આવેલ આ જાણકારી અનુસાર સરકારે 2000 ની નોટને હવે વધુ ના છાપવાનો આદેશ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે દેશની તમામ બેંકોને નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ નિર્દેશ અનુસાર હવે લોકોને આવતા ત્રણ મહિના સુધી બેંકોમાં નાની નોટ જ મળશે કારણ કે આરબીઆઈએ 2000ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આરબીઆઈ અધિકારીએ જણાવ્યું કેસરકારે તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે દેશમાં 2000ની નોટોની સતત ઘટ પડી રહી છે.
નોટબંધી દ્વારા કાળાનાણાં દુર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે ભારતની રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હવે પછીનું ફોકસ નાની નોટ પર રહેલું છે. આ કારણોસર હવે આ ચાલુ નાણાંકીય વર્ષમાં 2000 ની નોટ છાપવામાં આવશે નહીં.