નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની HDFC બેંકના બચત બેંક ખાતા પર મળનારું વ્યાજ દરમાં 0.50 ટકાના કાપ મૂકીને 3.5 ટકા કરી દીધો છે. આ કાપ 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર કરવામાં આવી છે. બેંક 50 લાખ રૂપિયાછી વધારે જમા વાળા ખાતા પર 4 ટકા વ્યાજ આપતી રહેશે.
જો કે HDFC બેંકના એક અધિકારીએ જણાવ્યું છે કે 'બચત દરની સમીક્ષા બાદ જો ગ્રાહક પોતના ખાતામાં 50 લાખ રૂપિયા અથવા એનાથી વધારે રાખશે તો વર્ષે 4 ટકા વ્યાજ મળતું રહેશે. જે ગ્રાહકોના ખાતામાં 50 લાખથી ઓછા હશે એમને વર્ષે 3.5 ટકા વ્યાજ મળશે. નવા દરો 19 ઓગસ્ટથી અસર કરશે.'
ઉલ્લેખનીય છે કે આ પહેલા એસ.બી.આઇ એ એક કરોડ રૂપિયા અને એનાથી ઓછી જમા રાશિ વાળા બચત ખાતા પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેંક તથા સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ બચત ખાતાઓમાં 0.5-0.5 ટકાનો કાપ મૂકે છે. આ કાપ 50 લાખ રૂપિયા સુધીની બચત જમા વાળા ખાતા માટે કરવામાં આવી છે.