સરકારી નોકરીનું સપનું જોઇ રહેલા યુવાઓ માટે મોદી સરકાર ઝટકો આપવાની તૈયારીમાં છે. વિભિન્ન મંત્રાલયોમાં વર્ષોથી ખાલી પદોને ભરવાની રાહ જોઇ રહેલા દેશ યુવાઓને સરકારના પગલાથી ઝટકો લાગી શકે છે.
હકીકત સરકાર દરેક મંત્રાલયો અને વિભાગોમાં પાંચ વર્ષથી ખાલી પડેલા પદોને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારે આ સંબંધમાં દરેક મંત્રાલયો અને વિભાગોને વિસ્તૃત રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે.
નાણા મંત્રાલયે કહ્યું કે એમને દરેક મંત્રાલયો તથા વિભાગોને પાંચ વર્ષથી ખાલી પડેલા પદોને સમાપ્ત કરવા માટે કાર્યવાહી રિપોર્ટ આપવાનું કહ્યું છે.
કેટલાક વિભાગો અને મંત્રાલયોએ જવાબ આપ્યો પરંતુ કેટલાકે વ્યાપક રિપોર્ટ આપવાની જગ્યાએ માત્ર જરૂરી સૂચના આપી.
16 જાન્યુઆરી 2018એ મોકલેલા કાર્યાલય રિપોર્ટ અનુસાર 'એટલા માટે દરેક મંત્રાલયો વિભાગોને નાણાકીય સલાહકારો તથા સંયુક્ત સચિવો સાથે અનુરોધ છે કે એ મંત્રાલયો અથવા સંબંધિત વિભાગો એ પદોને ચિહ્નિત કરે જે પાંચ વર્ષથી વધારે સમયથી ખાલી છે.'