કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કેસરકાર જલ્દી જ પેટ્રોલમાં 15% મિથેનોલ ભેળવવાની નીતિ જાહેર કરશે. તેનાથી પેટ્રોલને સસ્તું કરવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું ''સંસદના આગામી સત્રમાંહું પેટ્રોલમાં 15% મિથેનોલ મિક્સ કરવાની નીતિની જાહેરાત કરીશ.''
નીતિન ગડકરીએ આગળ કહ્યુ કેમિથેનોલ કોલસાથી બનાવવામાં આવશે અને તેની કિંમત 22 રૂપિયા પ્રતિ લીટર થાય છે. જ્યારે પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લીટર છે. ચીન તેને જ 17 રૂપિયા પ્રતિ લીટરની કિંમતમાં બનાવી રહ્યું છે. ગડકરીએ કહ્યું ''તેનાથી ખર્ચમાં પણ ઘટાડો થશેપ્રદૂષણ પણ ઓછું થશે.'' કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મુંબઈની આસપાસ ઉપસ્થિત ફર્ટિલાઈજર્સ અને રાષ્ટ્રીય રસાયણ એન્ડ ફર્ટિલાઈજર્સ જેવા કારખાના મિથેનોલનું ઉત્પાદન કરી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યુ કે ''વોલ્વોએ આ એન્જિનવાળી બસનું નિર્માણ કર્યુ છેજે મિથેનોલ પર ચાલે છે. તે મુંબઈમાં 25 એવી બસો ચલાવવાનો પ્રયાસ પણ કરશે જેમાં સ્થાનિક મિથેનોલનો ઉપયોગ ઈંધણ તરીકે કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે એથેનોલનો પણ માટો પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ.''
ગડકરીએ કહ્યું કે ''તેમણે કેબિનેટમાં પોતાના સાથી પેટ્રોલિયમ મંત્રીને સૂચન આપ્યું છે કે તે 70 000 કરોડ રૂપિયાના ખર્ચે પેટ્રોલ રિફાઈનરી સ્થાપિત કરવાના મુકાબલે એથેનોલના ઉપયોગ પર ધ્યાન આપે. ગડકરીએ કહ્યું કેદરેક વર્ષે 22 ટકાના દરે કારોનું વેચાણ વધી રહ્યું છે. આ ચિંતાની વાત છે.''