બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / શરીરને ઠંડું રાખવા ઉનાળામાં આ લોટની રોટલી ખાવી ફાયદાકારક, વજન ઘટાડાવામાં પણ કરશે મદદ
Last Updated: 02:08 PM, 2 May 2024
ઉનાળામાં ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ. ગરમીના કારણે લોકો પાણીવાળી વસ્તુઓનું સેવન વધુ કરે છે. પરંતુ ઘંઉની રોટલીનો ખોરાક ચાલુ જ રાખે છે. ઉનાળામાં તમારે ઘંઉની રોટલીની આદત બદલવી જોઈએ. ઘંઉ ભારે ખોરાકમાં આવે છે, ગરમીમાં ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને વજન પણ મેન્ટેન રહે છે. એક્સપર્ટની સલાહ મુજબ જણાવીશું કે ઉનાળામાં કઈ રોટલી ખાવી હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્સપર્ટ્સ ડાયટિશિયનનું કહેવું છે કે, ઉનાળાની ગરમીમાં ઘઉં સિવાય પણ બીજી રોટલી ખાવી જોઈએ. ઉનાળામાં જુવારની રોટલી ખાવી જોઈએ. વજન ઘટાડવું હોય કે નહીં, પરંતુ ઉનાળામાં જુવારની રોટલી ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે તે જલ્દી પચી પણ જાય છે. આ સિવાય જુવારની તાસીર ઠંડી હોય છે. એક્સપર્ટ્સ તો એમ પણ કહે છે દિવસ દરમિયાન અલગ અલગ અનાજ ખાવું જોઈએ.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે દિવસભર કેટલી રોટલી ખાવ છો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારે લિમિટેડ રોટલી જ ખાવી જોઈએ. એક્સપર્ટ્સ ડાયટિશિયનનું કહેવું છે તમારે દિવસ દરમિયાન 4-5 રોટલી ખાવી જોઈએ. આ સાથે ઘઉં સિવાય આખા અનાજનું સેવન કરવું જોઈએ. દાળને ડાયટમાં સામેલ કરવી. કારણકે તેમાં પુરતા પોષકતત્વો હોય છે.
ઉનાળામાં આપણે સ્વાસ્થ્ય માટે શાકભાજી અને ફળો પર વધારે ફોકસ કરવું જોઈએ. કારણકે તેમાંથી શરીરને પુરતા પોષક તત્વો મળે છે, ફાયબર પણ મળી રહે છે. ફાયબરથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. ઉનાળામાં તરબૂચ જેવા ફળ રોજ ખાવા જોઈએ.
વધુ વાંચો: શું તમને પણ સવાર-સવારમાં બ્રશ વિના જ પાણી પીવાની છે આદત? તો પહેલા આટલું જાણી લેજો
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઉનાળાની ગરમીમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જ રહે છે. જેથી ડિહાઈડ્રેશનનો ખતરો રહે છે. તેનાથી બચવા તમારે વધુ પાણી પીવું જોઈએ. જો તમે નારિયેળનું પાણી પીવો છો તો તેનો બમણો ફાયદો થાય છે. ફળોથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT